હિન્દ ન્યૂઝ, જામનગર
જામનગર જિલ્લા નાં જોડિયા તાલુકાના જીરાગઢ ગામે આવેલ શ્રી રોકડીયા હનુમાનજી દાદા નું ચમત્કારિક મંદિર આવેલ છે.
આ મંદિરે દર્શનાર્થીઓ પગપાળા દર્શન કરવા જાય છે.
તેમજ ભક્તો પોતાની માનતાવો રાખી આ ચમત્કારી મંદિર જઈ ને પુરી કરે છે.
માન્યતા પ્રમાણે માગશર મહિનાના શનિવારે પગપાળા મંદિર સુધી ચાલુને જવાની ખુબ જ મોટી મહિમા છે.

કહેવાય છે કે જીરાગઢ ગામે હનુમાનજી દાદા એ અનેકોનેક પરચાઓ પણ આપેલ છે. તેમજ આ ગામ થી નજીક વિશાળ આજી ડેમ પણ આવેલ છે. આ ડેમનું પાણી આજુબાજુ ના ગામો મા મીઠું પાણી પીવા માટે તેમજ ખેતી માટે પણ ઉપયોગ નીવડે છે. ભક્તો નું કેહવું છે કે આ ચમત્કારિક શ્રી રોકડીયા હનુમાનજી નાં દર્શન કરતા ખુબ આધ્યત્મિકતા ની ભાંતિ સાથે પુણ્ય પ્રાપ્ત થાય છે અને દર્શન કરવાથી દાદા નાં આશીર્વાદ મળે છે.
રિપોર્ટ : રાજેન્દ્ર જાવિયા, રાજકોટ
