પાંજરાપોળની પાછળ આવેલી વાડીમાં દરોડો સમયે ૩ શખ્સો ફરાર

હિન્દ ન્યૂઝ, પ્રભાસ પાટણ

વેરાવળ તાલાળા રોડ ઉપર ગોવિંદપરા ગામ પાસે પિજરાપોર આવેલ છે તેની પાછળ વાડીમાં કતલખાનું ચાલતું હોય તેમાં દરોડા પાડતા બનાવના સ્થળેથી ત્રણ સખ્શ નાસી છુટેલ હતાં. પોલીસે બે જીવતા વાછરડા છરી કુહાડી મોટરસાયકલ ગૌમાંસ સહિતનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. પ્રભાસ પાટણ પોલીસને મળેલી બાતમી આધારે ગોવિંદપરા ગામની બાજુમાં પાંજરાપોળની પાછળ મીરાજી પટેલની વાડીમાં કતલખાનું ચાલતું હોય દરોડો પાડતા રાતના અંધારાનો લાભ લઇ મીરાજી પટેલ સોયુબ ઇબારાહીમ સુમરા અને અજાણ્યા ઈસમ નાસી છુટેલ હતાં સ્તર ઉપરથી પોલીસ ને ગૌવંશ પશુના અવશેષો ૧૬૦ કિલો માંસ ભરેલાં ૨ કોથરા તેમજ કત્લ કરવાનાં છરીઓ કુહાડીઓ લાકડાના હથિયારો તથા બે જીવતા વાછરડા આવેલ હતાં પોલીસે કબજે લઈ પશુ દવાખાના ડોક્ટરને બોલાવેલ હતાં અને ચકાસણી કરાવેલ હતી. સ્તર ઉપર મોટરસાયકલ નંગ એક કુલ રૂ.૮૭,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ

Related posts

Leave a Comment