વિરમગામના માઈન્ડ ટ્રેનર ડૉ. રાજેશ પરમારને બેસ્ટ રિસર્ચ એવોડ પ્રાપ્ત થયો

હિન્દ ન્યૂઝ, વિરમગામ

કોરોનામાં માનસિક સ્વાસ્થ્ય જાળવવા ‘મનોમાસ્ક’ રિસર્ચ આર્ટિકલ માટે વિરમગામના યુવાનને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા રાજ્યસ્તરીય એવોર્ડ પ્રાપ્ત થયો.
મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા 2 દિવસીય ઓનલાઈન કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ભરની વિવિધ યુનિવર્સીટી માંથી 200 પ્રતોયોગી અને 145 રિસર્ચ પેપર રજુ કરવામાં આવ્યા હતા. વિરમગામનું ગૌરવ અને ગુજરાતના જાણીતા માઈન્ડ ટ્રેનર અને સાયકોલોજીસ્ટ ડૉ. રાજેશ પરમાર એ “મનોમાસ્ક” કોવિડ-19 માં મનોવિજ્ઞાનનું મહત્વ વિષય પર વિશ્લેષણાત્મક સંશોધન લેખ રજૂ કર્યો હતો. આ સંશોધનમાં તેઓ જણાવે છે કે જેમ શરીર ને વાયરસથી બચાવવા માસ્ક જોઈએ તેમ મન ને પણ નકારાત્મક વાયરસથી બચાવવા ‘મનોમાસ્ક’ જરૂરી છે. આપણું મગજ કચરાપેટી નથી કે કોઈ પણ ના નેગીટિવ વિચારો આપણે સ્વીકારી લઈએ. માનસિક સ્વાસ્થય સાચવવા ના 5 મહ્ત્વપૂર્ણ ટિપ્સ પણ તેમને અસરકારક રીતે રજૂ કરી હતી.
તેમને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે, સૌરાષ્ટ્ર – સરદાર પટેલ – ગુજરાત – ભાવનગર જેવી વિવિધ યુનિવર્સીટીઓના અધ્યક્ષો એ અભિનંદન પાઠવ્યા હતા. વિરમગામની જનતા તે બદલ ખુબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે.

રિપોર્ટર : નશીબ ખાન મલેક, વિરમગામ

Related posts

Leave a Comment