છ વર્ષ બાદ દિવ્યાંકા ત્રિપાઠી-કરન પટેલનો શો ‘યે હૈં મહોબ્બતેં’ બંધ થશે, સ્પિન-ઓફ શો ‘યે હૈં ચાહતેં’ આવશે

મુંબઈઃ એકતા કપૂરનો ડેઈલી શો ‘યે હૈં મહોબ્બતે’ છેલ્લાં છ વર્ષથી ટેલિકાસ્ટ થાય છે. આ શોમાં દિવ્યાંકા ત્રિપાઠી તથા કરન પટેલ મેઈલ લીડમાં છે. આ શો 2013થી પ્રસારિત થાય છે અને ટીઆરપી લિસ્ટમાં પણ જોવા મળે છે. આ શોમાં અનિત હસનંદાની, રૂહાનિક ધવન, અદિતી ભાટિયા, ક્રિષ્ના મુખર્જી, અભિષેક વર્મા સહિતના કલાકારો છે. છેલ્લાં ઘણાં જ સમયથી ચર્ચા થાય છે કે આ શો બંદ થવાનો છે. જોકે, હજી સુધી આ વાત કન્ફર્મ થઈ નથી. સ્પિન-ઓફ શો શરૂ થશે જાણીતા અંગ્રેજી અખબારમાં આ શો ડિસેમ્બરના અંત સુધીમાં પૂરો થશે, તેમ કહેવામાં આવ્યું છે.…

Read More

કૃતિ સેનને ‘પાણીપત’ અને ‘બાજીરાવ મસ્તાની’ની સરખામણી પર કહ્યું, કેરેક્ટર્સ અલગ-અલગ છે

બોલિવૂડ ડેસ્ક: અર્જુન કપૂર અને કૃતિ સેનન સ્ટારર ‘પાણીપત’ ફિલ્મનું ટ્રેલર થોડાં સમય પહેલાં જ રિલીઝ થયું હતું. ત્યારબાદ લોકો તેની સરખામણી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ સાથે કરી રહ્યા હતા. ઇન્ટરનેટ પર ઘણા મીમ વાઇરલ થયા હતા જેમાં અર્જુન કપૂરને રણવીર સિંહ સાથે અને કૃતિ સેનનને પ્રિયંકા ચોપરા સાથે સરખાવવામાં આવી રહ્યા હતા. ફિલ્મમાં અર્જુન કપૂર સદાશિવરાવ ભાઉના રોલમાં છે. ફિલ્મમાં ક્રિતિ સેનન સદાશિવરાવ ભાઉની બીજી પત્ની પાર્વતીબાઈના રોલમાં છે. સદાશિવરાવ ભાઉની પહેલી પત્નીના મૃત્યુ બાદ તેમના લગ્ન પાર્વતીબાઈ સાથે થયા હતા. સદાશિવરાવ ભાઉ પેશવા બાજીરાવના ભાઈના દીકરા હતા.…

Read More

નસીરુદ્દીન શાહ સહિત 100 મુસ્લિમ હસ્તીઓએ કહ્યું, રિવ્યૂ પિટીશન કરવાથી સમુદાયને જ નુકસાન થશે

મુંબઈઃ બોલિવૂડ કલાકારો સહિત અલગ-અલગ ફિલ્ડના અંદાજે 100 મુસ્લિમ વ્યક્તિઓએ અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર રિવ્યૂ પિટીશન દાખલ કરવાનો વિરોધ કર્યો હતો. હાલમાં જ એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે રિવ્યૂ પિટીશન અરજીથી મુસ્લિમોને ફાયદો થવાને બદલે નુકસાન થશે. આ નિવેદન પર નસીરુદ્દીન શાહ, શબાના આઝમી, પત્રકાર જાવેદ અહમદ, હૈદરાબાદના સામાજિક કાર્યકર્તા આરિઝ અહમદ, ચેન્નઈના વકીલ એ જે જવાદ તથા મુંબઈના લેખત અંજુમ રાજાબલીની સહી છે. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય મુસ્લિમ સમુદાય, બંધારણ વિશેષજ્ઞ તથા ધર્મનિરપેક્ષ સંસ્થા આ વાતથી નારાજ છે કે દેશની સૌથી મોટી…

Read More

પાંચ અઠવાડિયાનું એક્સટેન્શન મળતા સલમાન ખાનને ફી ઉપરાંત પ્રતિ એપિસોડ 2 કરોડ રૂ. વધારે મળશે

મુંબઈઃ સલમાન ખાનનો શો ‘બિગ બોસ 13’ પહેલાં જાન્યુઆરી મહિનામાં પૂરો થઈ જવાનો હતો. જોકે, હવે તે પાંચ અઠવાડિયા વધુ ચાલશે. હવે, આ શોની ગ્રાન્ડ ફિનાલે ફેબ્રુઆરી મહિનામાં આવશે. સલમાન ખાનને આ પાંચ અઠવાડિયા માટે ફી ઉપરાંત બે કરોડ રૂપિયા વધારાના મળશે. સલમાને પહેલાં કામ કરવાની ના પાડી હતી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સલમાને વધારાના પાંચ અઠવાડિયા માટે શોને હોસ્ટ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ‘રાધેઃ મોસ્ટ વોન્ટેડ ભાઈ’ના શૂટિંગમાં વ્યસ્ત થશે. જોકે, ચેનલે સલમાન ખાનને પૈસાની લોભામણી લાલચ આપીને પાંચ અઠવાડિયા માટે મનાવી લીધો છે.…

Read More

હેરી પોટર સિરીઝના એક્ટરે નવી ફિલ્મનું ખોટું અનાઉન્સમેન્ટ કર્યું, ફેન્સ બોલ્યા- આશા તોડવાની હિંમત કેમ થઇ

હોલિવૂડ ડેસ્ક: હેરી પોટર સિરીઝની છેલ્લી ફિલ્મને રિલીઝ થયાને 8 વર્ષ થઇ ચૂક્યા છે. ત્યારબાદ પણ પોટરના ફેનબેસમાં જરાપણ ઘટાડો થયો નથી. તેનું ઉદાહરણ લાઈવ મળ્યું જ્યારે ફિલ્મમાં નેવિલ લોન્ગબોટમનો રોલ પ્લે કરનાર મેથ્યુ લુઈસે ટવીટ કરીને આગામી ફિલ્મની જાણકારી આપી હતી. તેણે જણાવ્યું કે હેરી પોટરની નેક્સ્ટ ફિલ્મનું શૂટિંગ જૂની સ્ટારકાસ્ટ સાથે 2020માં ફરીથી શરૂ થઇ રહ્યું છે. જોકે આ વાતની હકીકત ત્યારે ખબર પડી જ્યારે ફેન્સે તેની ઝાટકણી કરી. મેથ્યુએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક લિંક શેર કરીને જણાવ્યું કે હેરી પોટર તેની ઓરિજિનલ કાસ્ટ સાથે 2020માં આગામી…

Read More