હિન્દ ન્યુઝ, લાલપુર ચાલુ માસ સપ્ટેમ્બરમાં પોષણ માસ- 2024 અંતર્ગત આઈ.સી.ડી.એસ. ઘટક લાલપુર ખાતે બાળ વિકાસ યોજના અધિકારી જ્યોત્સનાબા જાડેજાના માર્ગદર્શન હેઠળ આંગણવાડીના બાળકો અને વાલીઓ માટે ભાવિ માતા પિતા સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં બાળકના સારા ઉછેર માટે માતા- પિતાની ભૂમિકા કેવી હોવી જોઈએ, સ્તનપાન અને ઉપરી આહારનું મહત્વ, બાળકના પ્રથમ એક હજાર દિવસની કાળજી વિશે સી.ડી.પી.ઓ. લાલપુર દ્વારા સરળ ભાષામાં માહિતી આપવામાં આવી હતી. તેમજ લાલપુર તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.પી.ડી.પરમાર અને ડો.ભાવેશભાઈ બેરાએ સગર્ભાવસ્થાની જાણ થતાં ઝડપથી નજીકના આરોગ્ય કેન્દ્રમાં રજીસ્ટ્રેશન માટેની પદ્ધતિ, આયુર્વેદ ઉપચાર પદ્ધતિના લાભ, સરળ…
Read MoreCategory: Education
સ્વચ્છતા હી સેવા અંતર્ગત ધ્રોલ ખાતે વિદ્યાર્થિનીઓ દ્વારા નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, જામનગર સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લામાં પણ છેવાડાના ગામડા સુધી સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે અને આ અભિયાનમાં લોકો સહભાગી થાય તે માટે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. ધ્રોલ તાલુકાની જી.એમ. પટેલ શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત નાટકના માધ્યમથી જાગૃતિલક્ષી સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ,શિક્ષકો અને નગરપાલિકાનો સ્ટાફ હાજર રહ્યો હતો.
Read Moreજવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-૨૦૨૫ માટેના ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત લંબાવાઈ
હિન્દ ન્યુઝ, આણંદ આચાર્યશ્રી, પીએમશ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે પીએમશ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણમાં વર્ષ ૨૦૨૫-૨૬માં ધોરણ ૬ માં પ્રવેશ મેળવવા માટે હાલ ધોરણ ૫ (પાંચ) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આવેદન કરી શકે તે માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત લંબાવવામાં આવી છે. પીએમશ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણમાં ધોરણ – ૬ માં પ્રવેશ માટેના ઓનલઈન ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ૨૩-૦૯-૨૦૨૪ હતી. તેને ૦૭-૧૦-૨૦૨૪ સુધી લંબાવવા આવેલ છે. જેથી આણંદ જિલ્લામાં ધોરણ પ (પાંચ) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી…
Read Moreસાચું શિક્ષણ કોને કહીશું ?
હિન્દ ન્યુઝ, ધરમપુર પુસ્તકિયા જ્ઞાન સાથે અનુભવજ્ઞાન પણ અત્યંત જરૂરી છે “શિક્ષણના પાયાના સિદ્ધાંતો સમજીને તેનો અમલ કરીએ” આપણે જાણીએ છીએ કે, ભારતના આવતીકાલના નાગરિકોને તૈયાર કરવાની બાબતમાં શિક્ષણના ક્ષેત્રમાં આજે ભારે અંધાધૂંધી ચાલે છે. આ અરાજકતામાંથી દેશને બહાર લાવવા શાળાનાં સંચાલકો,શિક્ષકો અને વાલીઓએ કેળવણીના મૂળભૂત સિદ્ધાંતો સમજીને તેનો અમલ કરવો જોઈએ. દરેક બાળકનું વ્યક્તિત્વ નિરાળું હોય છે અને દરેક બાળકને અલગ અલગ વિષય ભણવામાં રસ અને રુચિ હોય છે. બધાં બાળકો બધા વિષયો ભણી શકે છે અને બધાં બાળકોને બધા વિષયો ભણાવવા જ જોઈએ તેવી…
Read Moreમહીસાગર જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષણ પારિતોષિક વિતરણ સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો
હિન્દ ન્યુઝ, મહીસાગર ૫ મી સપ્ટેમ્બર શિક્ષક દિવસ આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલએ જણાવ્યું હતું કે, પુર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાક્રૃષ્ણને તેમનો જન્મ દિવસ સમગ્ર રાષ્ટ્રના શિક્ષકોને સમર્પીત કરી દેશના ખુણે ખુણે સમાજમાં જ્ઞાનનું અજવાળુ ફેલાવનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૨૦૪૭ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં શિક્ષકોની ભૂમિકા ખૂબ અગત્યની છે. શિક્ષક બાળકનુ યોગ્ય ઘડતળ કરી રાસ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે. બાળકને પારખવાની શક્તિ શિક્ષકની છે બાળકની અંદર છુપાયેલ શક્તિને બહાર લાવી બાળકને તે દિશા તરફ લઈ જવાનું કામ શિક્ષકનું…
Read Moreકાલાવડ તાલુકાનાં જસાપર પ્રા.શાળા ખાતે “શિક્ષકદિન” ની અનોખી ઉજવણી
“શિક્ષકદિન” નિમિતે એક દિવસ નાં શિક્ષક હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાનાં જસાપર પ્રા.શાળા ખાતે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવેલ. આ ઉજવણીમાં જશાપર પ્રા. શાળાનાં આચાર્ય હમીરભાઈ ભીખાભાઈ નંદાણીયા તેમજ શિક્ષકગણ મનોજભાઈ રામજીભાઈ સાવલિયા, જયેશકુમાર હીરાલાલ અગ્રાવત, જાગૃતિબેન ઉકાભાઈ કપુરીયા, દિનેશભાઈ જીવાભાઈ જીલરીયા, કિંજલબેન મનસુખભાઈ મુંગરા, મોનાબેન ગીરધરભાઈ સીદપરા, ચેતનકુમાર વિઠલભાઈ તારપરા, રાહુલભાઈ જમનભાઈ કોઠીયા ઓનાં જ્ઞાન સહાયક દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષક બનાવી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા જ્ઞાન પ્રદાન કરેલ. શિક્ષકદિન નિમિત્તે રાજકોટના રાતૈયા ગામના દાતાશ્રી દ્વારા જસાપર પ્રા. શાળાના ૨૬૦ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ ભેટ આપવામાં આવેલ. પ્રા. શાળાના…
Read Moreઆણંદ જિલ્લાનું શિક્ષણ ક્ષેત્રનું ગૌરવ : સપ્તર્ષિ સમા ૭ ગુરૂજનોને એક સાથે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક
પમી સપ્ટેમ્બર : શિક્ષક દિવસ હિન્દ ન્યુઝ, આણંદ પ મી સપ્ટેમ્બર..ડૉ.સર્વપલ્લી રાધા કૃષ્ણનની યાદમાં તંદુરસ્ત સમાજનું ઘરતર કરનાર શિક્ષકોનું બહુમાન કરવામાં આવે છે. વર્ષ – ૨૦૨૪-૨૫ માટે આણંદ જિલ્લાના કુલ ૭ જેટલા શિક્ષકોનું રાષ્ટ્રીય,રાજ્ય ,જિલ્લા તથા તાલુકાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરાઈ છે. રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક… આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વડદલા હાઈસ્કુલના આચાર્યશ્રી વિનયભાઈ પટેલની નેશનલ ટીચર્સ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ શ્રેષ્ઠ શિક્ષકને રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ…
Read Moreપીએમ શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળાના આચાર્યા જિનેશાબેન શાહની રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી
૫ મી સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ હિન્દ ન્યુઝ, ભાવનગર તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની પીએમ શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળામાં આચાર્યા તરીકે છેલ્લા ૧૦ વર્ષ થી ફરજ બજાવતા જિનેશાબેન લાભચન્દ્ર શાહની રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. જિનેશાબેને જણાવ્યું કે શાળાના બાળકો રમતા રમતા શીખે તે માટે ખાસ રમકડા તૈયાર કરવામાં આવ્યા છે. શાળાના બાળકોને ખાસ ભરતગુંથણ સહિતના આર્ટ શીખવાડવામાં આવે છે અને આ માટે ખાસ ક્લાસ પણ લેવામાં આવે છે અને બાળકોને અભ્યાસની સાથે સાથ કેવી રીતે આવકનું સાધન ઊભું થઈ…
Read Moreઆણંદના હાડગુડ ગામની પી. એમ. શ્રી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિલ્પાબેન પટેલ ને આણંદ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગીને
૫ મી સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ હિન્દ ન્યુઝ, આણંદ આણંદના હાડગુડ ગામની પી. એમ. શ્રી પ્રાથમિક ગુજરાતી શાળામાં ફરજ બજાવતા શિલ્પાબેન પટેલને વર્ષ – ૨૦૨૪ અંતર્ગત આણંદ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. કેમ કરવામાં આવી તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી… પ્રકૃતિ અને પુસ્તક પ્રેમી શિક્ષક, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને વિશેષ તૈયારી કરાવી મેરીટમાં આવે ત્યાં સુધી સતત પ્રયત્નશીલ રહેનાર..સામાજિક વિજ્ઞાનના વિષયમાં વિદ્યાર્થીઓને પ્રવાસ-પર્યટન અને મુલાકાત થકી અનુભવજન્ય જ્ઞાન આપનાર, ભાષા વિષયમાં વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક અને સંશોધનાત્મક સાધનો દ્વારા માતૃભાષાનું જતન…
Read Moreઅભ્યાસમાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે બાળકોનું જીવન ઘડતર કરી રહ્યા છે નસવાડી તાલુકાની ચામેઠા ગ્રુપ પ્રાથમિક શાળાના શિક્ષિકા સેજલબેન ઉપાધ્યાય
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. સારસ્વતોના ગરિમાગાન કરતા આ દિવસ સાથે શ્રેષ્ઠ ગુરૂ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનું નામ જોડાયેલું છે. એક શિક્ષક સમાજના ઘડતર સાથે સમાજમાં બદલાવ પણ લાવી શકે છે. શિક્ષક દિને શિક્ષક તરીકે બાળકોને સમર્પિત અને વર્ષ ૨૦૨૪-૨૫માં છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામનાર સેજલબેન ઉપાધ્યાય બાળકોને ખરા અર્થમાં ભાર વગરનું ભણતર આપીને એક શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પરિભાષાને સાચા અર્થમાં સાકાર કરી રહ્યા છે. એક મુલાકાત દરમિયાન સેજલબેન ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, હું વર્ષ…
Read More