હિન્દ ન્યુઝ, ધોધા ભાવનગર જિલ્લાનાં ધોધા તાલુકાનાં ખરકડી ગામે બાલમશા પીરની દરગાહ ખાતે દર વર્ષે રમઝાન ઈદ પછી ઉર્ષનો મેળો ભરાય છે. આ વર્ષે પણ તા. ૧૯/૦૪/૨૦૨૪ થી તા. ૨૧/૪/૨૦૨૪ સુધી ખરકડી મુકામે ઉર્ષ ઉજવવામાં આવનાર છે. જેમાં આજુબાજુનાં ગામડાઓ તેમજ બીજા જિલ્લાઓમાંથી પણ હિન્દુ મુસ્લીમ સમાજનાં માણસો મોટા પ્રમાણમાં એકઠા થનાર છે. આ વર્ષે પણ ખરકડી ગામે ઉર્ષનાં દિવસો દરમ્યાન લોકોની ધાર્મિક લાગણી દુભાઈ તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તા. ૧૯/૦૪/૨૦૨૪ થી તા. ૨૧/૪/૨૦૨૪ સુધી ૩ દિવસ ખરકડી ગામ તથા તેની આજુબાજુનાં આઠ કી.મી.નાં વિસ્તારમાં કોઈપણ…
Read MoreCategory: Gujarat
હીટવેવથી પશુધનનું રાખો ખાસ ધ્યાન : પશુપાલકો અને ખેડૂતોએ લેવી વિશેષ કાળજી
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શક્યતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પોતાની આસપાસ વસતાં પશુપક્ષીઓને લૂથી બચાવવા તથા પશુપાલકો તેમજ ખેડૂતો પાકના રક્ષણ કરવા માટે કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે. ખેડૂતોએ ઉભા પાકને હળવું તેમજ વારંવાર સિંચન કરવું જોઈએ. પાક વિકાસની મહત્વના સ્તરે સિંચાઈની માત્રા વધારો. નિંદામણ કરીને જમીનના ભેજનું પ્રમાણ જાળવો. વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો. જો તમારો વિસ્તાર હીટવેવ કે ફુંકાતા પવનમાં આવતો હોય તો સ્પ્રિક્લરથી સિંચાઈ કરો. પશુઓને છાયડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠંડું…
Read Moreજામનગર જિલ્લાના વાહન માલિકો ટુ-વ્હીલર સિવાયના તમામ પ્રકારના વાહનોની જૂની સીરીઝના ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના તમામ વાહન માલિકો ટુ-વ્હીલર સિવાયના તમામ પ્રકારના વાહનોની તમામ જૂની નંબર સિરીઝના ઈ-ઓકસનમાં ભાગ લઈ શકશે. આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આગામી તા.19/04/2024 થી 21/04/2024 ના બપોરના 04:00 કલાક સુધી રહેશે. ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.21/04/2024 થી 23/04/2024 ના બપોરના 04:00 કલાક સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.23/04/2024 ના રોજ બપોરે 04:00 કલાકે જાહેર કરવામાં આવશે. ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in આ વેબસાઈટ પર જઈને નોંધણી/ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઈ-ડી…
Read Moreઉના ખાતે રામનવમીના તહેવારની ઉજવણી સંદર્ભ વૈકલ્પિક રૂટ જાહેર કરાયા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લામાં આગામી તા.૧૭/૦૪/૨૦૨૪ના રોજ ઉના શહેર વિસ્તારમાં રામનવમીના પર્વની ઉજવણી સંદર્ભ ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની એકઠી થવાની છે. આ દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારૂ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને. તેમજ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુસર કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા વૈકલ્પીક રુટ માટેનુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગીર સોમનાથ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) હેઠળ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૬)ના મુજબ જિલ્લાના ઉના શહેર મુકામે ઉના લામધાર ગામના પાટીયા પાસેથી તેમજ ઉના રોકડીયા હનુમાન મંદિર પાસેથી ઉના શહેરમાં થઈ રાજય ધોરી…
Read Moreમહીસાગર જીલ્લાના ખેડૂતો માટે કમોસમી વરસાદની આગાહી સામે ખેડૂતોએ રાખવાની કાળજીઓ માટે ખેતીવાડી ખાતાનો અનુરોધ
ખેડૂત મિત્રો માટે જાણવાજોગ હિન્દ ન્યુઝ, મહીસાગર મધ્ય- દક્ષિણ ગુજરાતના મહીસાગર જીલ્લાના ખેડૂતો માટે અચાનક હવામાનમાં પલટો થયેલ હોવાથી તા: ૧૦/૦૪/૨૦૨૪ અને ૧૧/૦૪/૨૦૨૪ દરમ્યાન વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદની આગાહી સામે ખેડૂતોએ રાખવાની કાળજીઓ માટે ખેતીવાડી ખાતાનો અનુરોધ.. વાદળછાયા વાતાવરણને ધ્યાને લઈ હાલમાં ખેતરમાં ઊભા પાક જેવા કે, મકાઇ, મગ, બાજરી, દિવેલા, મગફળી, શાકભાજી વગેરે પાકમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતીના પગલા લઈ ખેતી પાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે. ઉપર જણાવેલ પાકોમાં રોગ-જીવાતનો ઉપદ્રવ જણાય તો તુરંત ભલામણ મુજબ પ્રથમ તબક્કે જૈવિક નિયત્રંણ કરવું અને જીવાતની માત્રા વધુ હોય…
Read Moreભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા સોમનાથ મહાદેવના દર્શને
હિન્દ ન્યુઝ, સોમનાથ ભારતીય ટીમના સ્ટાર ઓલ રાઉન્ડર અને મુંબઇ ઇન્ડિયન્સ ટીમના સુકાની હાર્દિક પંડ્યા એ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. હાર્દિક પંડ્યા એ શ્રી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી હતી અને મહાદેવનો જલાભિષેક કર્યો હતો. આ અવસરે તેઓએ શ્રી સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજન કર્યું હતું. આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મહાદેવનું સ્મૃતિ ચિત્ર અને પ્રસાદ આપી મહાનુભાવનું અભિવાદન કર્યું હતું.
Read Moreસિક્યુરિટી ગાર્ડની પ્રમાણિકતા : “રામ વન”માં મળેલ મોંઘો મોબાઈલ ફોન માલિકને પરત આપ્યો
હિન્દ ન્યુઝ, રાજકોટ “રામ વન” ખાતે ફરજ બજાવતા રાજકોટ મહાનગરપાલિકાના સિક્યુરિટી ગાર્ડ શ્રી રાજેશભાઈ રણછોડભાઈ વસોયા ગત તા.૦૪/૦૪/૨૦૨૪નાં રોજ “રામ વન”માં ફરજ બજાવી રહ્યા હતાં ત્યારે તેઓને આશરે રૂ.૮૦,૦૦૦/-ની કિંમતનો મોબાઈલ ફોન મળ્યો હતો. ત્યારબાદ તેમણે આ મોબાઈલ ફોનના માલિકને શોધીને જરૂરી ખરાઈ કર્યા બાદ તેમને મોબાઈલ ફોન પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ ઘટના બાબતે જાણ થતા વિજીલન્સ અને સિક્યુરિટી વિભાગના અધિકારી ડીવાય.એસ.પી. આર.બી.ઝાલા અને પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના ડાઈરેક્ટર ડૉ. આર. કે. હીરપરાએ “રામ વન”માં ફરજ પર રહેલ “અભય સિક્યુરિટી”ના ગાર્ડ રાજેશભાઈ…
Read Moreઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની વિગત
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેરને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગેની ફરિયાદોનાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકોને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાના માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત તા.૦૫-૦૪-૨૦૨૪ ના રોજ ૦૪ વ્યક્તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે અને પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા બે વેપારીઓને રૂપિયા ૨૦૦૦/- દંડ તેમજ ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો…
Read Moreપ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ – ૨૦૨૧ અન્વયે ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજ તા. ૦૬-૦૪-૨૦૨૪ ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ ૧૫૬ આસામીઓ પાસેથી ૧૬.૮ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૬૦,૨૫૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ…
Read Moreજામનગર શહેરમાં આગામી તા.10 એપ્રિલના ભગવાન ઝુલેલાલની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે વૈકલ્પિક રૂટ જાહેર કરાયો
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર શહેરમાં આગામી તારીખ 10/04/2024 ના રોજ સિંધી સમાજના ઈષ્ટદેવશ્રી ઝુલેલાલની જન્મ-જયંતિ નિમિત્તે વહેલી સવારથી સમગ્ર સિંધી સમાજના દર્શનાર્થીઓ દર્શન કરવા મંદિરે આવતા હોય છે. તેમજ મંદિરમાં પ્રસાદ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાતું હોય છે. તહેવાર/ઉત્સવ દરમ્યાન દર્શનાર્થે આવતા બાળકો, વૃદ્ધ વડીલો તેમજ મહિલાઓ સહિતના લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો ન કરવો પડે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવો અનિવાર્ય બની રહે છે. તેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે…
Read More