કોરોના કાળ દરમિયાન અવસાન પામેલા પવિત્ર આત્માના મોક્ષાર્થે અને વૃધ્ધાશ્રમના લાભાર્થે હરિ ૐ વૃધ્ધાશ્રમ જેતપુર નવાગઢ ખાતે શ્રીમદ્ ભાગવત કથા નું આયોજન

હિન્દ ન્યુઝ, જેતપુર          આથી જ્ઞાતિબંધુને જણાવતા આનંદ થાય છે કોરોના કાળ દરમિયાન અવસાન પામેલા પવિત્ર આત્માના મોક્ષાર્થે અને વૃધ્ધાશ્રમના લાભાર્થે હરિ ૐ વૃધ્ધાશ્રમ જેતપુર નવાગઢ ખાતે શ્રીમદ્ ભાગવત કથા તા. ૨૨-૦૫-૨૦૨૨ થી તા.૨૯-૦૫-૨૦૨૨ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. કથાકાર આચાર્ય શ્રી રમેશભાઈ મહેતા અમેરિકાવાળા કથાનું રસપાન કરાવશે. તેમા કથાના પ્રથમ દિવસે એટલે કે તા.૨૨-૦૫-૨૦૨૨ ને રવિવારના રોજ સર્વે જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તો સમૂહ લગ્નમાં જોડાવા માંગતા જ્ઞાતિબંધુ વહેલી તકે ફોમૅમા આપેલ નંબર પર સંપર્ક કરી ને લગ્ન નોંધણી માટે રૂબરૂ હરિ ૐ…

Read More

બોટાદ જિલ્લામાં બિનસચિવાલય કલાર્ક અને સચિવાલયના ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ-3 ની પરીક્ષાને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ તૈયારીઓ કરાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં આગામી તા.૨૪/૦૪/૨૦૨૨ ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા બિનસચિવાલય કલાર્ક અને સચિવાલયના ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ-3 ની ખાલી જગ્યા માટે લેખિત પરીક્ષા ભાગ – ૧ બોટાદ જિલ્લામાં કુલ –૪૭ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે, પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક ગુંડાતત્વો એકઠા થઈ પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહિ તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે બોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એ.શાહે તેમને મળેલ અધિકારની રૂએ એક જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં…

Read More

ભાવનગરની જાણીતી શીશુવિહાર સંસ્થા દ્વારા ભાવનગરના સનેસ ગામે આરોગ્ય શિબિરનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરની જાણીતી સંસ્થા શિશુવિહાર શિક્ષણ, કૌશલ્ય નિર્માણ સાથે સમાજ ઉત્થાનના કાર્યો સાથે પણ સંકળાયેલી છે. સમાજ અભ્યુદયની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે આ કાર્ય અંતર્ગત આરોગ્ય પ્રવૃત્તિઓ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્યથી આજરોજ ભાલ વિસ્તારનાં સનેસ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવી હતી. આ આરોગ્ય શિબિરમાં ૩૨૫ ગ્રામજનોની આરોગ્ય તપાસ , ચશ્મા વિતરણ તથા ગામની પ્રાથમિક શાળાનાં બાળકોની લોહીમાં હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટીમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી, રમેશભાઈ પરમાર, રેખાબહેન ભટ્ટ, પ્રીતિબહેન ભટ્ટ, દીપાબહેન જોષીએ સેવા આપી હતી.…

Read More

શ્રી મૂળશંકરભાઈ મો.ભટ્ટ સ્મૃતિ વ્યાખ્યાનમાળા આ વર્ષે જાણીતા હિન્દી સાહિત્યકાર અને પત્રકાર નાસીરા શર્મા વક્તવ્ય આપશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  સ્વાતંત્ર સેનાની તથા જાણીતા ચિંતક શ્રી મૂળશંકર મો. ભટ્ટની સ્મૃતિમાં આગામી તા.૧૭ એપ્રિલે શિશુવિહારના પ્રાંગણમાં જાણીતા હિન્દી સાહિત્યકાર અને પત્રકાર શ્રી નાસીરા શર્મા સ્મૃતિ વ્યાખ્યાન આપશે. આ ઉપરાંત જાણીતા ગાંધીજન રમેશ સંઘવી પણ તેમનું વક્તવ્ય આપશે. વિશ્વ ગ્રામ તથા સમન્વય સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજાતી સ્મૃતિ વ્યાખ્યાનમાળા અંતર્ગત ગાંધીવાદી વિચારક શ્રી નાસીરા શર્મા “ભારતીય સંસ્કૃતિ અને સમન્વયી સૌરભ” વિષે પોતાનાં વિચારો રજૂ કરશે.      હનુમાન જયંતીએ ચિત્રકૂટ ધામમાં સદભાવના એવોર્ડથી સન્માનિતશ્રી નાસીરાબેન રવિવારે સવારે ૧૦:૦૦ વાગ્યે શહેરના જાગૃત શિક્ષકો તેમજ ભાવનગરના પ્રબુધ્ધ નાગરિકોને પોતાના પત્રકારત્વના વિશાળ અનુભવને…

Read More

ભાવનગરમાં ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકારના N.T.E.P. કાર્યક્રમ અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એ.કે.તાવીયાડ ભાવનગર તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડૉ.પી.વી.રેંવર, ભાવનગરના માર્ગદર્શન હેઠળ ટી.બી. ના રોગ સામે જન જાગૃતિ વધે તેમજ રોગના લક્ષણોને ઓળખી ગળફાનું પરિક્ષણ કરાવે અને નિયત કરેલ સમય મર્યાદા સુધી સારવાર પૂર્ણ કરે અને વર્ષઃ ૨૦૨૫ સુધીમાં ટીબીને નિર્મૂલન કરવાના ઉદ્દેશને પરિપૂર્ણ કરવાના હેતુસર જીલ્લામાં આજરોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે ભાવનગર જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ વિશ્વ ક્ષય દિવસની નવી થીમ “ઈન્વેસ્ટ ટુ એન્ડ ટી.બી.(Invest To End TB)” મુજબ તાલુકાના હેલ્થ સ્ટાફ તેમજ શિક્ષણ…

Read More

સમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી માર્ચ/૨૦૨૨- એપ્રિલ/૨૦૨૨નાં માસ દરમિયાન તા.૦૨/૦૪/૨૦૨૨નાં રોજ ગુડી પડવો-ચેટીચાંદ, તા.૦૩/૦૪/૨૦૨૨નાં રોજ રમજાન માસ પ્રારંભ, તા.૦૫/૦૪/૨૦૨૨નાં રોજ વિનાયક ચોથ, તા.૦૯/૦૪/૨૦૨૨નાં રોજ દુર્ગાષ્ટમી, તા.૧૦/૦૪/૨૦૨૨નાં રોજ રામનવમી, તા.૧૪/૦૪/૨૦૨૨નાં રોજ આંબેડકર જ્યંતિ, તા.૧૫/૦૪/૨૦૨૨નાં રોજ ગુડ ફ્રાઇડે તથા તા.૧૬/૦૪/૨૦૨૨નાં રોજ હનુમાન જ્યંતિ વગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક…

Read More

કુવારદ હાઇસ્કૂલ માં ૨૦૨૨- ધોરણ ૧૦ વિદાય સમારંભ યોજાયો

હિન્દ ન્યૂઝ, રાધનપુર           ખેતી કામ ની પુરજોશ ઋતુઓ માં વાલી, મિત્રો અને ખેલ મહાકુંભ માં શિક્ષક મિત્રો અટવાયેલા હોવાથી ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ નો ખૂબ જ સાદગી થી શાળા કક્ષાએ વિદાય શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો. કોરોના ના લીધે રહી ગયેલા ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ એમ બે વર્ષ ના બોર્ડ ની પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ ને શાળા અને સંખેશ્વર તાલુકા ના (બી.આર.સી) નનુભાઈ મેધાભાઈ પાવરા તરફ થી અલગ અલગ અનુક્રમે ૫૦૧, ૩૦૧ અને ૨૦૧ ઇનામો આપવામાં આવ્યા હતા તથા ધોરણ ૯ માં પણ…

Read More

દાંડી માર્ચ : સાયકલ યાત્રા ૧૨ થી ૧૮ માર્ચ ૨૦૨૨. અમદાવાદના કોચરબ આશ્રમ ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદના કોચરબ આશ્રમ ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરતાં જણાવ્યું કે, કોચરબ આશ્રમે મોહનને મહાત્મા બનાવવાની ભૂમિકા ભજવી હતી. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, જો દેશ ગાંધી માર્ગે ચાલ્યો હોત તો આજે અનેક સમસ્યાઓ ન હોત. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રીએ 7 દિવસની આ દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, દાંડી માર્ચ, દાંડી યાત્રા એક એવું આંદોલન હતું કે દુનિયાભરમાં નામ કર્યું. તેમણે વધુમાં જણાવ્યું કે, દાંડીયાત્રા વખતે કોમ્યુનિકેશનના કોઈ સાધનો ન હતા તો…

Read More

ભાવનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ઉપક્રમે આજે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિત્તે સમગ્ર રાજ્યમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ભાવનગર ખાતે મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયાના અધ્યક્ષસ્થાને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોતીબાગ ખાતે આવેલાં અટલ બિહારી વાજપાયી ઓપનએર થિયેટર ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં મેયરએ મહિલા દિનની શુભકામનાઓ આપતાં જણાવ્યું કે, મહિલાઓ વાત્સલ્ય અને સેવાની કરૂણામૂર્તિ હોય છે. જેમ ગોળ વિના કંસાર અધૂરો છે, તેમ માતા વિના સંસાર સુનો બની જાય છે. આપણાં જીવનમાં ડગલેને પગલે સ્ત્રી શક્તિની જરૂર પડે છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે,…

Read More

બોટાદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મહિલાઓને માન-સન્માન આપવા, મહિલાઓની શક્તિને ઉજાગર કરવા ૮ મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આજ રોજ બોટાદ સ્થિત નાનાજી દેશમુખ હોલ, નગરપાલિકા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને તેમજ મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન સુ. હંસાબેન મેરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્રની અંદર – ગુજરાતમાં સ્ત્રીસશકિતકરણ માટે રાજ્ય સરકારે ખૂબ મોટા પ્રમાણમાં બજેટો ફાળવ્યા છે અને ખૂબ…

Read More