હિન્દ ન્યુઝ, દાહોદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સી. એમ. મછારના માર્ગદર્શન હેઠળ RBSK ટીમ નીનામા ખાખરીયા દ્વારા લીમખેડા તાલુકાની મોડલ સ્કૂલ ખાતે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે આંખોની તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક સ્ક્રીનિંગ દરમિયાન કુલ 57 વિદ્યાર્થીઓમાં વાંચવા તેમજ દૂરનું જોવામાં તકલીફ જણાઈ હતી. ત્યારબાદ ઓપથેલમિક આસિસ્ટન્ટ સોનાલીબેન કટારા દ્વારા વિદ્યાર્થીઓની આંખોના નંબરની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. વિગતવાર તપાસ દરમિયાન કુલ 22 વિદ્યાર્થીઓને આંખોના નંબર હોવાનું નિદાન થયું હતું. આ તમામ વિદ્યાર્થીઓને સમયસર દ્રષ્ટિ સુધારણા…
Read MoreAuthor: Admin
છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ગૌરવપૂર્વક ઉજવણી
રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ-૨૦૨૬ હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની “વોકલ ફોર લોકલ” અને “આત્મનિર્ભર ભારત”ની પ્રેરણાથી છોટાઉદેપુર જિલ્લામાં “રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ”ની ગૌરવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલકેટર ગાર્ગી જૈન દ્વારા “કસોટા પુનર્જીવન પ્રકલ્પ”નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કલેકટર ગાર્ગી જૈનને “ગૌરવથી ગંતવ્ય સુધી” અભિયાનના મુખ્ય ઉદ્દેશ્ય વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, કસોટા એ માત્ર એક હાથશાળનું કાપડ નથી, પરંતુ તે છોટાઉદેપુરની આગવી ઓળખ, સંસ્કૃતિ, પરંપરા અને સ્થાનિક વણકરોની અદભૂત કળાનું જીવંત પ્રતિક છે. આ પ્રકલ્પનો મુખ્ય સંકલ્પ આપણી આ અમૂલ્ય પરંપરાને માત્ર…
Read Moreકચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમના સંદર્ભે આયોજન બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ભુજ આજરોજ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને કચ્છમાં જિલ્લામાં આગામી સમયમાં યોજાનારા હર ઘર તિરંગા-૨૦૨૬ કાર્યક્રમના આયોજનને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા આગામી ૯ થી ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘હર ઘર તિરંગા અભિયાન-૨૦૨૬’નું વ્યાપક આયોજન કરવામાં આવશે. જે હેઠળ કચ્છમાં પણ ગાંધીધામ ખાતે જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા તથા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરાશે. કચ્છ કલેક્ટરએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને ગ્રામ્યથી લઈને જિલ્લાકક્ષા સુધી સરકારની સૂચના અન્વયે તિરંગા યાત્રા, તિરંગા બાઇક, સાઇકલ કે ઇ-બાઇક રેલીના આયોજન તથા સેલ્ફી વીથ…
Read Moreઆજે નેશનલ હેન્ડલૂમ ડે
હિન્દ ન્યુઝ, ભુજ ભુજોડી નામ સાંભળતા જ એક એવા ક્રાફ્ટ વિલેજની સિદ્ધિઓ યાદ આવે જે સમગ્ર રાજ્યમાં પોતાના હાથવણાટની કલાકારી માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. પાંચ સદીની હાથવણાટની કારીગરીને અહીંના કારીગરોએ પોતાના પરસેવાથી સિંચીને વિશ્વકક્ષાના રેમ્પવોકથી લઇને મોટી ફેશનબ્રાન્ડના મોલમાં સ્થાન અપાવ્યું છે. રાજ્યનું એકમાત્ર એવું ગામ છે જ્યાં ઘરે ઘરે નેશનલ એવોર્ડ, રાજ્યકક્ષાના એવોર્ડ વિજેતા કારીગરો છે. હેન્ડલૂમ ક્ષેત્રે ૫૦થી વધુ એવોર્ડ ધરાવતું ભુજોડી સૌથી વધુ એવોર્ડ વિજેતાનો રેકોર્ડ રાજ્યમાં ધરાવે છે. અહીંના કારીગરોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી હાથસાળની બનાવટોને એક સમૃદ્ધ ઉદ્યોગમાં પરિવર્તિત કરીને વડાપ્રધાનના સ્વપ્નને…
Read More‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ’ ડાંગ જિલ્લો
હિન્દ ન્યુઝ, સાપુતારા ચોમાસું એટલે હરિયાળી, ઠંડક અને પ્રકૃતિના અદભૂત સૌંદર્યને માણવાની ઋતુ. વરસાદના આગમન સાથે જ ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારાનું સૌંદર્ય અનેકગણું ખીલી ઊઠે છે. વાદળોથી ઘેરાયેલા પહાડો, ધુમ્મસની સફેદ ચાદર, ખળખળ વહેતાં ઝરણાં, લીલાછમ જંગલો અને મનમોહક વાતાવરણ વચ્ચે યોજાતો ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ’ આજે ગુજરાતના સૌથી લોકપ્રિય મોન્સૂન ઉત્સવોમાં સ્થાન મેળવી ચૂક્યો છે. છેલ્લા 18 વર્ષથી સતત ઉજવાતો આ મહોત્સવ માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નથી, પરંતુ ડાંગ જિલ્લાના પર્યટન, આદિવાસી સંસ્કૃતિ અને સ્થાનિક અર્થતંત્રને નવી દિશા આપતો વિકાસનો ઉત્સવ બની ગયો છે. પ્રકૃતિ અને…
Read Moreનવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે “કારકિર્દી માર્ગદર્શન” કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે આચાર્ય ડૉ. બી. આર. બોદર તથા વાઈસ પ્રિન્સિપાલ ડૉ. હરેશ કે. પંચાલના માર્ગદર્શન હેઠળ ‘ઉદિશા પ્લેસમેન્ટ સેલ’ના ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે “કારકિર્દી માર્ગદર્શન” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે ઉદિશા સેલના કો-ઓર્ડિનેટર ડૉ. એલ. પી. પરમારે આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા અને ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના નિષ્ણાત વક્તાઓએ વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી અંગે ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. • ઓવરસીઝ કાઉન્સેલિંગ: મદદનીશ નિયામકની કચેરી (તરસાલી, વડોદરા)ના…
Read Moreપોરબંદર જિલ્લામાં આર.બી.એસ.કે. યોજનાથી શ્રમિક પરિવારના નવજાત બાળકને મળ્યું નવજીવન
હિન્દ ન્યુઝ, પોરબંદર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સર્વે સંતુ નિરામયા’ના સંકલ્પ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સેવાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અનેક જનકલ્યાણકારી યોજનાઓ અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહી છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) એ આવી જ એક મહત્વપૂર્ણ યોજના છે, જેના માધ્યમથી જન્મજાત અને ગંભીર આરોગ્ય સમસ્યાઓ ધરાવતા બાળકોને સમયસર નિદાન, નિઃશુલ્ક સારવાર અને જરૂરી સર્જરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પોરબંદરના એક શ્રમિક પરિવારના બાળકને આ યોજના હેઠળ મળેલું નવજીવન તેની જીવંત સાબિતી છે. પોરબંદરના છાયા નવાપરા…
Read Moreમુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગરબાડા તાલુકામાં માર્ગનું કાર્ય પૂર્ણ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષિત, સુવિધા સભર અને ગુણવત્તાયુક્ત માર્ગ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના (MMGSY) અંતર્ગત ગરબાડા તાલુકાના આંબલી ખજૂરિયા – વેડ ફળીયા – ખડા ફળીયા માર્ગ નું સપાટી સુધારણા અને રિસરફેસિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ માર્ગનું કામ MMGSY વર્ષ 2023-24 હેઠળ હાથ ધરાયું હતું. અંદાજે 7 વર્ષ પૂર્ણ થયેલા ખરાબ થયેલા માર્ગની સપાટી સુધારણા તથા રિસરફેસિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનોને હવે…
Read Moreબસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ ખાતે ‘ગ્રામ-હાટ’ની સ્થાપના થકી સ્વસહાય જૂથોના ઉત્પાદનોને મળશે બજાર
હિન્દ ન્યુઝ, દાહોદ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) અંતર્ગત રચાયેલ સ્વસહાય જૂથો (SHGs) દ્વારા ઉત્પાદિત વિવિધ સ્થાનિક ઉત્પાદનોને યોગ્ય બજાર અને વેચાણની સુવિધા મળી રહે તેમજ ગ્રામ્ય મહિલાઓના આર્થિક સશક્તિકરણને વેગ મળે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા બસ સ્ટેશન, રેલવે સ્ટેશન તથા એરપોર્ટ ખાતે ‘ગ્રામ-હાટ’ સ્થાપવાની મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દાહોદ દ્વવારા તેમજ જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટના માર્ગદર્શન અને દિશા સૂચન હેઠળ ST વિભાગ અને DRDA દાહોદ વચ્ચે ગ્રામ હાટ માટે સ્પેસ અલોકેશન નું MoU કરવામાં આવેલ છે. કુલ ૪ બસ…
Read Moreડેરી એનાલોગના વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દાહોદ દ્વારા સઘન કાર્યવાહી
હિન્દ ન્યુઝ, દાહોદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દાહોદ સર્કલ દ્વારા તા. ૦૬/૦૮/૨૦૨૬ ના રોજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ગાંધીનગરના હુકમ અન્વયે જાહેર આરોગ્યના હિતમાં એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ તથા તેના અંતર્ગત ઘડવામાં આવેલા નિયમોની જોગવાઈઓ અનુસાર, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવાની જવાબદારીના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે. દાહોદ સર્કલ વિસ્તારમાં ડેરી એનાલોગના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણને પ્રતિબંધિત કરવા માટે કચેરીના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ…
Read More