સુરત ખાતે સ્વનિર્ભર સ્વદેશી અભિયાન ની કચેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, સુરત,

18/9/2020 ના રોજ સુરત ખાતે સ્વનિર્ભર સ્વદેશી અભિયાન ની કચેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ અભિયાનના મુખ્ય ઉદ્દેશો આરોગ્ય, રોજગાર, કૃષિ, શિક્ષણ, પર્યાવરણ, જળ સંરક્ષણ, ભારતીય સંસ્કૃતિ અને સ્વનિર્ભર સ્વદેશી. અભિયાન સતગુરુ શ્રી શ્રી સિદ્ધેશ્વર યોગી ભાર્ગવ જીએ આરોગ્ય અને રોજગાર વિશેની ઝુંબેશ વિશે માહિતી આપી હતી તેમજ રાષ્ટ્રીય આરોગ્ય સલાહકાર વૈદ્ય યોગેશ વાની દ્વારા આરોગ્ય અને લોકોને આરોગ્યપ્રદ કેવી રીતે રાખી શકાય તે અંગે સંસ્થાપક અને રાષ્ટ્રીય અઘ્યક્ષ મહેન્દ્રભાઇ બોલીવાલ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું અને યુવાનો કેવી રીતે મજબુત બને છે, રોજગાર કેવી રીતે મળે તેમજ અભિયાનના હેતુ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

રિપોર્ટર : હિના ભટ્ટ, સુરત

Related posts

Leave a Comment