ખેડબ્રહ્મા નગરપાલિકા અને વેપારી એસોસિયેશન દ્વારા કરવામાં આવેલ સ્વયમ બંધ નું ચુસ્તપણે અમલ

હિન્દ ન્યૂઝ, ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા નગર મા કોરોના ના વધતા કેસો ને જોઈ ખેડબ્રહ્મા નગરપાલિકા અને ખેડબ્રહ્મા વેપારી એસોસિયેશન અને જનતા દ્વારા બંધ નું એલાન તારીખ ૧૪ થી તારીખ ૨૧ સુધી કરવામાં આવ્યું હતું. આજે તેનો વેપારીઓ અને જનતા દ્વારા એવો સારો પ્રતિસાદ મળ્યો છે. આમ અનેક લોકો દ્વારા જાણવા મળેલ કે નાના વેપારી છીએ અને બંધ રહે તો અમારે ગુજરાન કઈ રીતે ચલાવવું અને દુકાન ના ભાડા પણ ભરવા માં બહુ તકલીફ પડે છે. જ્યારે અમુક પાસે થી જાણવા મળ્યું કે ઓમ તો સારું થયું છે. જ્યારે બજાર માં બહુ ટ્રાફિક થતું હોય છે, તો કોરોના સંક્રમણ વધી સકે છે. જેથી નગરપાલિકા અને વેપારી ઓ ના સમર્થન થી સારું થયું છે અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

રિપોર્ટર : ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા

Related posts

Leave a Comment