સુરત શહેર માં વિધવા બહેનો ને અનાજ કરીયાણા કીટનું વિતરણ કરી જન્મદિનની અનોખી ઉજવણી

સુરત,

માનવ સેવા ની ધરોહર નાલંદા વિદ્યાલય પરિવાર ના અમૂલ્ય વારસા ને આગળ ધપાવતા રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી નાં રાષ્ટ્રીય અધ્યક્ષ દિવ્યેશ ચાવડા એ વિધવા બહેનો ને અનાજ કરીયાણા કીટ વિતરણ કરીને પોતાનો જન્મદિન ઉજવ્યો હતો.

સુરત નાં વી.ડી. ઝાલાવાડીયા, નગરસેવક દિનેશ સાવલિયા, રાજપા મહામંત્રી અશોક ભાલીયા, એબીસી ગ્રુપ અશોક બેલડીયા, અશોક વાજડી, કનુભાઈ માલવીયા વગેરે ની ઉપસ્થિતિ માં 51 વિધવા બહેનો ને કીટ વિતરણ કરવા બદલ ઝાલાવાડીયા એ જન્મદિન પર કરેલું ઉમદા કાર્ય કોરોના મહામારી માં ખૂબ ઉપીયોગી નીવડશે એ આશા સાથે સેવાકાર્ય બદલ અભિનંદન આપ્યા હતા.


જન્મ દિવસ નાં શુભ પ્રસંગે સૌ માતા બહેનો નાં આશીર્વાદ મેળવી દિવ્યેશ ચાવડા એ જન્મદિન પર પધારેલા મહેમાનો શુભેચ્છકો નો આભાર સાથે આવો લોક સેવાનો અભિગમ સતત જાળવી રાખવા ની નેમ વ્યક્ત કરી હતી.
નાલંદા પુણા ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમ નું મંચ સંચાલન મનહર દુધાતે કરેલ, કાર્યક્રમ ને સફળ બનાવવા વિપુલ ચાવડા, શૈલેષ બાળધિયા, મયંક ચાવડા સર્વે સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી તેથી સવઁ નો આભાર વ્યક્ત કયૉ હતો.

રિપોર્ટર : રીયાઝ મેમણ, કઠોર

Related posts

Leave a Comment