થરાદ
થરાદ ખાતે પાયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ધરણીધર અન્નક્ષેત્ર નો પ્રારંભ કરવામાં આવતા ટ્રસ્ટ ના યુવકો દ્વારા શહેરમાં ભુખ્યા ને બે ટાઇમ ભોજન પુરુ પાડી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોના ની મહામારી ચાલી રહી છે અને એક બાજુ કુદરતી આફતો માંથી બધા લોકો પસાર થઈ રહ્યા છે ત્યારે મનુષ્ય જીવન માં કોઈક બીજા ઉપયોગી થઈ રહ્યા છે તેમજ તેઓને મદદરૂપ થવા માટે કેટલાક સામાજિક સેવા આપનાર સંસ્થાઓ સામે આવવા લાગ્યા છે. એ જ પ્રકારે થરાદ માં પાયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ધરણીધર અન્નક્ષેત્ર ધંધા રોજગાર કરી જીવનનિર્વાહ ચલાવતા યુવાનો દ્વારા શહેરમાં આવું સેવાનું કાર્ય કરવા ના હેતુ સાથે થરાદ હાઈવે પર અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમા જરૂરિયાત મંદ લોકોને તેમજ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા લોકો ને નિઃશુલ્ક હષૅ સાથે આ સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે.
ટ્રસ્ટ ના સભ્યો એ જણાવ્યું કે હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ વ્યક્તિ તેમજ તેના સગા દ્વારા ભોજન માટે જાણ કરવામાં આવશે તો અમારી ટીમ રૂબરૂ ગમે તે સમયે ભોજન પહોંચાડવા તૈયાર રહેશે. પાયલ ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્ય પ્રકાશભાઇ ત્રિવેદી , હીરાભાઈ દરજી, મુકેશભાઈ દરજી, મદનભાઈ દરજી , ગણેશભાઈ દરજી , મનોજભાઈ દરજી, વિશાલભાઈ દરજી આ તમામ દ્વારા ધરણીધર અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રોજિંદા કેટલાક નિરાધાર તેમજ સારવાર લેવા આવતા દર્દીઓને ભોજન પહોંચાડવા માં આવી રહ્યું છે.
રિપોર્ટર : અશોક ત્રિવેદી , થરાદ