થરાદ તાલુકાના મહાજનપુરા ગામ મા સાધારણ સભા ભરવામાં આવી

થરાદ,

મહાજન પુરા ઘી દૂધ ઉત્પાદન મંડળીની સાધારણ સભા ભરવામાં આવી.
જેમો સભાની અંદર ડેરી વીસે બાર માસિક હિસાબ કિતાબ કરવામાં આવ્યા અને ડેરી વિશે કોઈ પણ ગ્રાહકો ના પ્રશ્ન ની પણ ચર્ચા કરવામાં આવી હતી. ડેરી ની સાધારણ સભા ની અંદર ઠરાવ કરવામાં આવ્યો કે કોઈ પણ ગ્રાહકો ના પ્રશ્ન નો નીકાલ કરવા માટે બે વ્યક્તિઓને નિમણૂંક કરવામાં આવ્યા હતા. જેવું કે ગ્રાહક ને દુધના ફેટ વિશે નો કોઈ પણ પ્રશ્ન હોય તો. જોષી વશરામભાઈ.એન એમને નિમણૂંક કરવામાં આવેલ છે.
અને ડેરી ના હિસાબ કિતાબ ના ચોપડા ચેક કરવા માટે કમેટી તરફ થી રજની કાન્ત .એચ.જોષી ની નિમણૂંક કરવામાં આવેલ છે અને આ સાધારણ સભા મહાજન પુરા દુધ મંડળીના ચેરમેન, મંત્રી અને સભ્યો ની હાજરી માં આ સાધારણ સભા માં ઠરાવ કરવામાં આવ્યો હતો. તે ઠરાવ કમેટી એ મંજૂર રાખવા માં આવેલ છે. અને આ સાધારણ સભા સોશિયલ ડિસ્ટન્સ ને ધ્યાને લઇ ને રાખવા માં આવી હતી.

રિપોર્ટર : રજની કાન્ત જોષી, થરાદ

Related posts

Leave a Comment