હિન્દ ન્યુઝ, ગાંધીનગર
કોઈ ઉદઘાટન કે ભવ્ય સમારોહ વિના આવતીકાલથી રાજ્યના વિવિધ રૂટ પર એકસાથે 300 નવી અત્યાધુનિક બસો સીધી જ જનતાની સેવામાં કાર્યરત કરાશે : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
જનકલ્યાણને સર્વોપરી રાખવાના ઉદ્દેશ્ય સાથે આટલી મોટી સંખ્યામાં બસોનું લોકાર્પણ હોવા છતાં કોઈપણ પ્રકારના ભવ્ય ઉદઘાટન સમારોહ, રિબન કટિંગ કે પ્રોટોકોલ મુજબના વીઆઇપી કાર્યક્રમો યોજવામાં આવશે નહીં; સમારોહ પાછળ થતો સમય અને સરકારી નાણાનો બગાડ અટકાવી બસોને સીધી રૂટ પર દોડાવવામાં આવશે.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને ઇંધણની બચત સાથે પર્યાવરણનું રક્ષણ કરી શકાય તે હેતુથી માન. મુખ્યમંત્રીએ ‘ઝીરો સેરેમની’નો સંકલ્પ કર્યો છે. રાજ્ય સરકારના નિર્ણયના અમલીકરણ સાથે આ નવી બસો સીધી જ નિર્ધારિત ડેપો પરથી સામાન્ય જન માટે રૂટ પર દોડતી થઈ જશે : નાયબ મુખ્યમંત્રી
