આ અમરેલી ડેરી અને ભાજપ કાર્યાલયે રૂપાલા ના હસ્તે ધ્વજવંદન

અમરેલી,

અમરેલી આજે સ્વેતક્રાંતિ લાવનાર અમરેલીના ગૌરવસમી અમર ડેરી દ્રારા પ્રથમ વખત જ સ્વતંત્રતા નિમિત્તે ધ્વજવંદન ની શરૂઆત કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલા ના વરદ હસ્તે થયેલ છે. આ પ્રસંગે દિલીપભાઈ સંઘાણી સાંસદ નારણભાઈ કાછડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેનાર છે અને અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયા અને વાઈસ ચેરમેન મુકેશ સંઘાણી ની ટીમ દ્રારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.

આ ઉપરાંત અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય રાજ્યના કૃષિમંત્રી અને અમરેલીના પનોતા પુત્ર પુરૂષોતમભાઈ રૂપાલા ના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ની જનતાને પધારવા ઈફકોના વાઈસ ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારાણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હિરપરા, મહામંત્રી રવુભાઈ ખુમાણ, કમલેશ કાનાણી દ્રારા સૌને હાજર રહેવા આમંત્રીત કરવામાં આવ્યા.

Related posts

Leave a Comment