હિન્દ ન્યુઝ, અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર મેળવી રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળી તેમના સ્વાસ્થ્ય અંગે પૃચ્છા કરી સ્વજનોને આ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા હિંમત બંધાવી.
વડાપ્રધાનએ આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા તબીબો અને હેલ્થકેર વર્કર્સની મુલાકાત લીધી; ઇજાગ્રસ્તોની સારવાર કરી રહેલા તબીબો પાસેથી દર્દીઓની હાલની સ્વાસ્થ્ય પરિસ્થિતિનો તાગ મેળવ્યો.



