માંગરોળ માં પોલીસ દ્વારા શહેરમાં સુલેહ,શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે કરવામાં આવ્યું કાંઇક આવું

જાણો શુ કર્યુ પોલીસે

જૂનાગઢ જિલ્લાના માંગરોળ માં જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. શ્રી મનીંદરસિંહ પવાર સાહેબ તથા જીલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ સાહેબ ની સૂચના અને માર્ગદર્શન થી માંગરોળ પોલીસ સ્ટેશનના નીડર પ્રામાણિક અને બાહોશ પી.એસ.આઈ. શ્રી વિંઝુડા સાહેબ ના સુંદર નેતૃત્વ દ્વારા શહેરમાં સુલેહ,શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે કંઈક અલગ જ કરવાનું નક્કી કર્યું હતું

માંગરોળ પોલીસ દ્વારા શહેરમાં કરવામાં આવ્યું હતું કાંઈક આવું કે જેમાં પોલીસ ની મોબાઇલ વાન તથા 100 નંબર પી.સી.આર.વાન તેમજ ડી.જે. સાથે રાખી શહેર ના સ્ટેશન રોડ,બંદર રોડ,દુધબજાર, મચ્છીપીઠ,માંડવી ગેઇટ,ટાવર રોડ,લીમડાચોક, કાપડ બજાર,દાણાપીઠ સહિતના વિવિધ વિસ્તારો માં વિવિધ દેશ ભક્તિ ગીતો ડી.જે.ના તાલ સાથે શહેર માં સુલેહ,શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેવુ ખુબજ ઉમદા અને સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ શુભ સંદેશો પણ લોકોને આ દ્વારા આપવાનો ઉમદા અને પ્રેરણા રૂપી ઉત્તમ પ્રયાસ માંગરોળ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો

શહેર માં સોસિયલ મીડિયા માં ખોટી અફવાઓ,ખોટા મેસેજો તેમજ ખોટા વાદ વિવાદ થી લોકો દુર રહે તેવું પણ સૂચન માંગરોળ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું જો કે માંગરોળ પોલીસ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે માંગરોળ ના લોકો ખુબજ શાંતિ અને ભાઈ ચારા થી રહેનારા લોકોનું એક આદર્શ શહેર પણ છે એવી માંગરોળ વાસી ઓની પોલીસ દ્વારા પ્રશંસાઓ પણ કરવામાં આવી હતી

માંગરોળ પોલીસ દ્વારા કરવામાં આવેલ ડી.જે.ના તાલ સાથે દેશભક્તિના ગીતો સાથે કરવામાં આવેલા આ પેટ્રોલિંગ ને નિહાળવા માટે ઠેર ઠેર લોકોના પણ ટોળે ટોળા ઉમટી પડયા હતા અને માંગરોળ પોલીસ ના આ સુંદર અને સરાહનીય પ્રયાસ દ્વારા કરવામાં આવેલી કામગીરી ની લોકો પણ ખુબજ પ્રશંસા કરી રહ્યા હતા

આ ખુબજ સરાહનીય કામગીરીમાં.પી.એસ.આઇ.આર આર ચૌહાણ,
એ.એસ.આઈ.એન.આર.વાઢેર,
એ.એસ.આઈ .ડી ટી ગાંગડા,
હેડ કોન્સ્ટેબલ ઇરફાનભાઇ રૂમી, જોગીદાસ ભાઈ ગાંગણા,રાહુલ ગીરી અપારનાથી,
ટ્રાફિક બ્રિગેડ,હીરાભાઈ અનિલભાઈ,જયેશભાઈ,અશફાક ભાઈ,સહદેવસિંહ,કેવલભાઈ,રવી ભાઈ સહિત નો પોલીસ સ્ટાફ જોડાયો હતો

રિપોર્ટર : મીલન બારડ માંગરોળ

Related posts

Leave a Comment