હિન્દ ન્યુઝ, ગાંધીનગર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આણંદ કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લેવા પરંપરાગત પ્રોટોકોલ અને VVIP વ્યવસ્થાને બાજુએ રાખતા GSRTCની ST બસ દ્વારા સામાન્ય નાગરિકોની સાથે મુસાફરી કરી આણંદ પહોંચ્યા.
રાજ્યપાલ કોઈ પૂર્વ સૂચના વિના રાજભવનથી સીધા ગાંધીનગર ST ડેપો પહોંચ્યા અને ત્યાંથી અન્ય સામાન્ય મુસાફરો સાથે બસમાં બેઠા હતા.
જનતા અને શાસન વચ્ચે જે સમરસતા અને સંવાદ હોવો જોઈએ, તેનો જીવંત અનુભવ મને આ યાત્રામાં થયો : રાજ્યપાલ
