હોળી-ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખી દાહોદ પંચમહાલ જવા માટે તા.૧૨ માર્ચ સુધી એસ.ટી. વિભાગ ૫૫૦ એક્સ્ટ્રા બસો દોડાવશે

આખી બસનુ ગ્રુપ બુકિંગ કરાવનારને “એસ ટી આપના દ્વારે” અંતર્ગત તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડવામાં આવશે

હિન્દ ન્યુઝ, સુરત

     સુરતમાં વસતા દાહોદ પંચમહાલના વતની નાગરિકોને હોળી-ધુળેટી તહેવારમાં માદરે વતન જવા માટે તા.૧૦ થી ૧૨ માર્ચ દરમિયાન ત્રણ દિવસ માટે સાંજે ૦૪.૦૦ થી રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-સુરત વિભાગ દ્વારા ૫૫૦ એકસ્ટ્રા બસો દોડાવાશે. એકસ્ટ્રા બસોથી ૩૦ હજાર જેટલા નાગરિકો વતન પહોચી શકશે. 

Related posts

Leave a Comment