આર્મી ભરતી વિશે માર્ગદર્શન મેળવતાં સીદી સમુદાયના યુવાનો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    શ્રી સીદી બિલાલી હાઈસ્કૂલ માધુપુર ખાતે જિલ્લા રોજગાર કચેરી અને ARO (આર્મી રિક્રુટિંગ ઓફિસ) જામનગર દ્વારા ખાસ સીદી સમુદાયના યુવાનોને અગ્નિવીર ભરતી વિશે માર્ગદર્શન અને તલસ્પર્શી માહિતી મળી રહે એ માટે સેમિનાર યોજાયો હતો. જેમાં સીદી સમાજના યુવાનોએ આર્મીમાં ભરતી વિશે વિસ્તૃત વિગતો મેળવી હતી.

ખાસ સીદી સમાજના યુવાનો માટે યોજાયેલા આ સેમિનારમાં જામનગરથી ઉપસ્થિત રહેલા મેજર વિક્રાંત તેમજ સુબેદાર મેજર જય શંકર દ્વારા ૪૫થી વધુ યુવાનોને આર્મી ભરતી (અગ્નિવીર)-૨૦૨૪ વિશે તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ આર્મી ભરતી અંગે માહિતી આપતા પેમ્ફલેટનું પણ વિતરણ કરાયું હતું.

આ તકે, રોજગાર કચેરી કેરિયર કાઉન્સેલર કે.એચ.રામ દ્વારા આર્મી તૈયારી અને નિવાસી તાલીમની માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના એસ.ટી. પરિષદના પ્રમુખ હાસમભાઈ અને સામાજિક કાર્યકર હનીફાબહેન સહિત મોટી સંખ્યામાં સીદી સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment