કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ગીર-સોમનાથ જિલ્લાની બે દિવસીય મુલાકાતે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આવતીકાલથી બે દિવસની ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી તેમના પ્રવાસના પ્રથમ દિવસે ચાંડુવાવ ખાતે સાંજે આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં સહભાગી થઈ ગ્રામજનોને માર્ગદર્શિત કરશે.

બીજા દિવસે સવારે તેઓ ભગવાન સોમનાથના દર્શન કરી પૂજા-અર્ચન કરશે ત્યારબાદ તેઓ તેઓના આગળના કાર્યક્રમ માટે જૂનાગઢ જવા પ્રસ્થાન કરશે.

Related posts

Leave a Comment