ગીર સોમનાથ નાં ઉનાના પાતાપુરમાં યોજાઈ પશુપાલન શિબિર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉના તાલુકાના પાતાપુર મુકામે પશુપાલન શાખા જિલ્લા પંચાયત ગીર સોમનાથ સંચાલિત પશુ દવાખાના ઉના તથા વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાભરના પશુપાલનો જોડાયા હતાં અને પશુધન-પશુપાલન તેમજ ખેતી વિશે ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું. આ તકે ઉના તાલુકાના ૩૦૦ જેટલા પશુપાલક ભાઈઓ-બહેનોએ પશુપાલન વિશે જુદા જુદા વિષયો પર નિષ્ણાંતો દ્વારા માહિતી મેળવી હતી.

આ તકે કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી ઉપરાંત મંચસ્થ મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, કારોબારી સમિતિના ચેરમેન અને જિલ્લા પંચાયત સદસ્ય પ્રકાશભાઈ ટાંક, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ભાવેશભાઈ ઉપાધ્યાય તથા અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓએ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment