સમાજના વિવિધ પ્રશ્નોનુ સમાધાન તેમજ માર્ગદર્શનથી અનેક પરિવારોનું જીવન સુખમય બનાવતુ  વેરાવળનુ “કુટુંબ સલાહ કેન્દ્ર”

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

             કેન્દ્રીય સમાજકલ્યાણ બોર્ડ ન્યુ દિલ્હી દ્વારા ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડઅમદાવાદ ની સહાયથી જુનાગઢ જીલ્લા મહિલા મંડળ દ્વારા સંચાલિત કુટુંબ સલાહ કેન્દ્ર” વેરાવળ ખાતે ઘણા વર્ષોથી કાર્યરત છે. જેમાં સાસરીયા દ્વારા ત્રાસઅન્યની દખલગીરીશરાબનું વ્યસનઆર્થિક સંકડામણઅનૈતિક સબંધદહેજઘરેલું હિંસાઅપહરણબાળલગ્ન જેવા પ્રશ્નો માં સમાધાનકારી માર્ગદર્શન આપવામાં આવે છે.

            આ કેન્દ્રમાં વર્ષ ૨૦૨૨-૨૩ ( એપ્રિલ-૨૨ થી સપ્ટેમ્બર-૨૨) ના છ માસ દરમ્યાન કુલ ૯૦ કેસો નોંધાયેલ હતાજે પૈકી ૪૩ કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં પતિ-પત્ની વચ્ચે ના અણબનાવ ના ૨૩ કેસોમાં સમાધાન થયેલ૮ કેસોમાં પક્ષકાર ને નામદાર કોર્ટમાં જવા સલાહ આપવામાં આવેલતેમજ ગંભીર પ્રકારના ૪ કેસોના છૂટાછેડા તેમજ ૧ કેસ વન સ્ટોપ સેન્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવેલ હતો તેમજ ૬ કેસોમાં પોલીસ મદદ માટે પોલીસ સ્ટેશન માં મોકલેલ ૧ કેસમાં સામાપક્ષ તરફથી સહકાર ન મળતા બંધ કરવામાં આવેલ. હાલમાં ૪૭ કેસો ચાલુ છે. આમ ૪૩ કેસોના નિકાલ માટે કુટુંબ સલાહ કેન્દ્ર વેરાવળ ના કાઉન્સેલર હરસુખભાઈ બગીયા તથા ભારતીબેન મારૂતેમજ સબ કમિટીનાં સભ્યઓ સુરેશભાઈ પી. માવાણી (એડવોકેટ)હમીરભાઈ વાળા (એડવોકેટ)મહમદભાઈ સોરઠીયારાજેશભાઇ ઠકરારસરોજબેન દવેચેતનાબેન સંઘવી નાં સહકારથી સમાધાન થતા દરેક પરિવારોનું જીવન સુખમય બનેલ છે. તેમ જુનાગઢ જીલ્લા મહિલા મંડળ ના પ્રમુખ ચંદનબેન રાવલ ની યાદીમાં જણાવવામાં આવેલ.

        જે કોઈ પરિવારને આવા પ્રશ્નો હોયતેઓએ કુટુંબ સલાહ કેન્દ્ર” કસ્તુરબા મહિલા મંડળ બિલ્ડીંગકલેકટર કચેરી રોડકૃષ્ણનગરવેરાવળનો સંપર્ક ફોન નંબર ૦૨૮૭૬-૨૪૨૫૭૯ કરવા એક યાદીમાં જણાવાયું છે

Related posts

Leave a Comment