હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
કેન્દ્રીય સમાજકલ્યાણ બોર્ડ ન્યુ દિલ્હી દ્વારા ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડ, અમદાવાદ ની સહાયથી જુનાગઢ જીલ્લા મહિલા મંડળ દ્વારા સંચાલિત “કુટુંબ સલાહ કેન્દ્ર” વેરાવળ ખાતે ઘણા વર્ષોથી કાર્યરત છે. જેમાં સાસરીયા દ્વારા ત્રાસ, અન્યની દખલગીરી, શરાબનું વ્યસન, આર્થિક સંકડામણ, અનૈતિક સબંધ, દહેજ, ઘરેલું હિંસા, અપહરણ, બાળલગ્ન જેવા પ્રશ્નો માં સમાધાનકારી માર્ગદર્શન આપવામાં આવે છે.
આ કેન્દ્રમાં વર્ષ ૨૦૨૨-૨૩ ( એપ્રિલ-૨૨ થી સપ્ટેમ્બર-૨૨) ના છ માસ દરમ્યાન કુલ ૯૦ કેસો નોંધાયેલ હતા, જે પૈકી ૪૩ કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં પતિ-પત્ની વચ્ચે ના અણબનાવ ના ૨૩ કેસોમાં સમાધાન થયેલ, ૮ કેસોમાં પક્ષકાર ને નામદાર કોર્ટમાં જવા સલાહ આપવામાં આવેલ, તેમજ ગંભીર પ્રકારના ૪ કેસોના છૂટાછેડા તેમજ ૧ કેસ વન સ્ટોપ સેન્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવેલ હતો તેમજ ૬ કેસોમાં પોલીસ મદદ માટે પોલીસ સ્ટેશન માં મોકલેલ ૧ કેસમાં સામાપક્ષ તરફથી સહકાર ન મળતા બંધ કરવામાં આવેલ. હાલમાં ૪૭ કેસો ચાલુ છે. આમ ૪૩ કેસોના નિકાલ માટે કુટુંબ સલાહ કેન્દ્ર વેરાવળ ના કાઉન્સેલર હરસુખભાઈ બગીયા તથા ભારતીબેન મારૂ, તેમજ સબ કમિટીનાં સભ્યઓ સુરેશભાઈ પી. માવાણી (એડવોકેટ), હમીરભાઈ વાળા (એડવોકેટ), મહમદભાઈ સોરઠીયા, રાજેશભાઇ ઠકરાર, સરોજબેન દવે, ચેતનાબેન સંઘવી નાં સહકારથી સમાધાન થતા દરેક પરિવારોનું જીવન સુખમય બનેલ છે. તેમ જુનાગઢ જીલ્લા મહિલા મંડળ ના પ્રમુખ ચંદનબેન રાવલ ની યાદીમાં જણાવવામાં આવેલ.
જે કોઈ પરિવારને આવા પ્રશ્નો હોય, તેઓએ “કુટુંબ સલાહ કેન્દ્ર” કસ્તુરબા મહિલા મંડળ બિલ્ડીંગ, કલેકટર કચેરી રોડ, કૃષ્ણનગર, વેરાવળનો સંપર્ક ફોન નંબર ૦૨૮૭૬-૨૪૨૫૭૯ કરવા એક યાદીમાં જણાવાયું છે