ભાવનગર જિલ્લાના વરતેજ ખાતેથી શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી આવતીકાલે કરાવશે શુભારંભ

સુજલામ-સુફલામ જળ અભિયાન-૨૦૨૨

હિન્દ ન્યુઝ, ભાવનગર

સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ છેલ્લાં ચાર વર્ષમાં મળેલ સફળતાને આગળ ધપાવતા ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જળ સંચય અને જળ સંગ્રહના વિવિધ કામો હાથ ધરવામાં આવનાર છે. જેનાં પાછલાં વર્ષોમાં ખૂબ સારા અને સકારાત્મક પરિણામો મળ્યાં છે.

ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ્ જળ અભિયાનના પાંચમા ચરણનો વરતેજ ખાતે આવેલ માલેસરી નદી, મેલડી માતાના મંદિર પાસે, સોળવદરા રોડ ખાતેથી શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી આવતીકાલે સવારે સવારે ૯.૦૦ કલાકે શુભારંભ કરાવશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, સ્થાનિક ધારાસભ્યઓ, પદાધિકારીઓ,કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અભિયાન હેઠળ ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કાંસ સફાઈ,તળાવ ઊંડા કરવા,જમીન પાળા,ખેત તલાવડી, ચેકડેમ, કેનાલ ડીસિલ્ટિંગના આશરે રૂ.૧,૭૬૪ લાખના કુલ- ૬૬૭ કામો હાથ ધરવામાં આવશે.

ભાવનગર જિલ્લામાં જળસંપતિ વિભાગ,નગરપાલિકાઓ, વન અને પર્યાવરણ વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા હેઠળ વિવિધ જળ સંચયના કામો હાથ ધરવામાં આવશે.આ અભિયાન દરમિયાન કાંસ સફાઈ,તળાવ ઊંડા કરવા,જમીન પાળા,ખેત તલાવડી, ચેકડેમ, કેનાલ ડીસિલ્ટિંગના કામો હાથ ધરવામાં આવશે.

જિલ્લામાં જળ સંચય જળ સંગ્રહના કામો હાથ ધરાતા જળ સંચય થતાં ભૂગર્ભ જળ ઊંચા આવશે. આ ઉપરાંત સ્થાનિક રોજગારીનું પણ સર્જન થશે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment