વર્ષાઋતુને પગલે ધારીનો ખોડિયાર જળાશય ૮૦ ટકા ભરાયો, અમરેલી અને ભાવનગર જિલ્લાના ૪૬ ગામોને સતર્ક રહેવા અનુરોધ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ધારી તાલુકાના ધારી ગામ પાસે શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર સિંચાઈ યોજનામાં પાણીની આવક થતા ગુરૂવારે સાંજે ૫.૦૦ વાગ્યાની સ્થિતિએ જળાશય ૮૦.૪૨ ટકા ભરાઈ ગયો છે. જળાશયમાં પાણીની સતત આવક થતાં ગમે ત્યારે જળાશયના દરવાજા ખોલવામાં આવે તેવી સ્થિતિ છે. આ સ્થિતિમાં મામલતદાર ડીઝાસ્ટર અમરેલી દ્વારા અમરેલી અને ભાવનગર જિલ્લાના ૪૬ ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

આ જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં વસતા હોય તેવા તમામને સાવચેત રહેવા અને એ વિસ્તાર કે આજુબાજુમાં અવર – જવર ન કરવા માટે અનુરોધ છે. અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધારી તાલુકાના ધારી, આંબરડી, ભઠ, પાદરગઢ, બગસરાના હાલરીયા, હુલરીયા, અમરેલી તાલુકાના સરંભડા, નાના માંડવડા, મેડી, તરવડા, બાબાપુર, વાંકીયા, ગાવડકા, પીઠવાજાળ, વિઠ્ઠલપુર, મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, લીલીયા તાલુકાના કણકોટ, આંબા, ક્રાંકચ, બવાડા, બવાડી, ઇંગોરાળા, લોકા, લોકી, શેઢાવદર, લોકા, લોકી, સાવરકુંડલા તાલુકાના બોરાળા, જુના સાવર, ખાલપર, આંકોલડા, મેકડા, ફિફાદ, ઘોબા, પીપરડી ઉપરાંત ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ઠાંસા, જૂના ગુજરડા, મનાજી, રાણીગામ, સતાપડા, પાલીતાણા તાલુકાના ચોક, ડુંગરપુર, હાથસણી, જાલીલા, જીવાપર, રાણપરડા અને રોહિશાળા સહિતના ગામોમાં તેની અસર થઈ શકે તેમ છે, વાયરલેસ ઓપરેટર, અમરેલી ફ્લડ સેલ દ્વારા આજરોજ તા.૧૪ જુલાઈ, ૨૦૨૨ના રોજ સાંજે ૫.૦૦ કલાકે આ અંગે આથી સૂચના જારી કરવામાં આવી છે. આ સ્થિતિએ ડેમમાં ૫,૭૮૭ ક્યૂસેક પાણીની આવક હોવાથી ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ છે.
સંબધિત તાલુકાઓના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને આ બાબતે વોર્નિંગ મેસેજ અનુસરી જે-તે ગામોના સરપંચઓ, તલાટી કમ મંત્રીઓ અને ગ્રામજનોને આ અંગે જાણ કરી સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment