હારીજ દરજી સમાજ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂતળા દહન કરી આવેદન પત્ર અપાયું

હિન્દ ન્યુઝ , હારિજ

 રાજસ્થાનના ઉદયપુરમાં ધોળા દિવસે હિંદુ યુવક કનૈયાલાલ ની ઇસ્લામિક જેહાદીયો દ્વારા નિર્દય હત્યા: કરવામાં આવી હતી. જેનો પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડી રહયા છે ત્યારે હારિજ ખાતે પણ દરજી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અન્ય તમામ હિન્દૂ સંગઠનો જોડાયા હતા અને ઇસ્લામિક આતંકવાદના વિરોધમાં સોમવાર ભવાની મંદિરથી રેલી સ્વરૂપે નીકળી મામલતદાર કચેરી ખાતે આવી ને ઇસ્લામિક જેહાદીઓ ના પોસ્ટરોનું દહન કરવામાં આવ્યું હતું. કનૈયાના હત્યારાઓને ફાંસી આપો.. ફાંસી આપો …  ના નારાઓ ગુંજી ઉઠ્યા હતા. આવા ઇસ્લામિક જેહાદીઓ ના વિરૂદ્ધમા આવેદનપત્ર મામલતદાર વી.ઓ.પટેલને આપવા માટે મોટી સંખ્યામાં હિંદુ સંગઠનો ભાઈઓ જોડાયા હતા

 

રિપોર્ટર : જીગર દરજી, હારીજ

Related posts

Leave a Comment