તા.૨૭ મી જૂલાઇએ બોટાદ તાલુકા (શહેર-ગ્રામ્ય) નો સ્વાગત અને ફરિયાદ નિવારણનો કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યૂઝ, બોટાદ

બોટાદ તાલુકા (શહેર અને ગ્રામ્ય) નો જૂલાઇ માસનો તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭ મી જૂલાઇ, ૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે તાલુકા સેવા સદન,પાળીયાદ રોડ, મામલતદાર કચેરી ખાતે યોજાશે. આ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તેમજ ગ્રામ્ય સ્વાગતમાં અનિર્ણીત રહેલ હોય કે જે તાલુકાકક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નોના નિરાકરણ માટે અરજદારએ રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજૂઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૧/૦૭/૨૦૨૨ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના ૧૦.૩૦ કલાકથી સાંજના ૬:૧૦ કલાક સુધી જનસેવા કેન્દ્ર (ATVT) મામલતદાર કચેરી,બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે તેમ, બોટાદ મામલતદાર તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment