સમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

આગામી જૂન/૨૦૨૨ – જુલાઇ/૨૦૨૨નાં માસ દરમિયાન તા.૨૮/૦૬/૨૦૨૨નાં રોજ જેઠી અમાસ, તા.૦૧/૦૭/૨૦૨૨નાં રોજ અષાઢી બીજ, તા.૦૭/૦૭/૨૦૨૨નાં રોજ દુર્ગાષ્ટમી, તા.૦૯/૦૭/૨૦૨૨નાં રોજ ગૌરીવ્રત પ્રારંભ, તા.૧૦/૦૭/૨૦૨૨નાં રોજ બકરી ઇદ, તા.૧૩/૦૭/૨૦૨૨નાં રોજ ગુરૂ પુર્ણીમા, તા.૧૫/૦૭/૨૦૨૨નાં રોજ જયા પાર્વતી વ્રત જાગરણ, તા.૧૮/૦૭/૨૦૨૨નાં રોજ નાગ પંચમી, તા.૨૦/૦૭/૨૦૨૨નાં રોજ તુલસી જ્યંતિ તથા તા.૨૩/૦૭/૨૦૨૨નાં રોજ એકનાથ પુણ્ય તિથિ વગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલા લેવાં અનિવાર્ય જણાતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયાર લઇને હરે ફરે નહિ તે માટે પ્રતીબંઘિત ફરમાવતું જાહેરનામું જાહેર શાંતિ અને સલામતી જાળવવા સારૂં બહાર પાડવુ જરૂરી જણાતાં અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપર મુજબનાં પ્રાણઘાતક હથિયારો સાથે રાખવા પર પ્રતિબંધ મુક્તુ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. 

આ જાહેરનામું તા.૨૫/૦૭/૨૦૨૨ સુઘી અમલમાં રહેશે. આ જાહેરનામાંનો કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર મહિનાની અને વઘુમાં વઘુ એક વર્ષની કેદની સજા અને ગુજરાત પોલીસ અઘિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબની દંડની સજા થશે.

Related posts

Leave a Comment