ગીર સોમનાથ ખાતે સ્વરોજગાર માટેની શ્રી બાજપાઈ બેંકેબલ યોજનાનો લાભ લેવા ઘરે બેઠા અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

રાજ્ય સરકારના કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગરની કચેરી દ્વારા અમલીકૃત સ્વરોજગાર માટેની શ્રી બાજપાઇ બેંકેબલ યોજના અંતર્ગત અરજી અરજદાર ઘરે બેઠા કરી શકે તેમજ પોતાની અરજીનું સ્ટેટસ જાણી શકે તે હેતુથી ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. અરજદારે https://blp.gujarat.gov.in વેબસાઇટ પર પોતાના મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરાવી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અમલીકૃત લોન યોજનાનો અમલ નિ:શુલ્ક થાય છે. યોજના માટે કચેરી મારફત કોઇ એજન્ટો દલાલો અનધિકૃત વ્યક્તિઓને માન્યતા આપેલ નથી. જેથી લોન અપાવવાના બહાને કોઇપણ પ્રકારનો નાણાંકીય વ્યવહાર કરવો નહીં. તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment