હિન્દ ન્યુઝ, સુરત
કતારગામ વિસ્તારની લલિતા પાર્ક સોસાયટીની બાજુમાં આવેલી શાકભાજી માર્કેટમાં ઘણા વર્ષોથી બંધ હાલતમાં પડેલી છે. છાશવારે આમ જનતા એ આ શાકભાજી માર્કેટ શરૂ થાય તેવી માંગણીઓ કરેલી છે અને તેમાં જાહેર શૌચાલયની વ્યવસ્થા પણ મૂકવામાં આવેલી છે. પણ તેનો કોઈ ધણી ધોરી નથી. આ સૌચાલય ને વ્યવસ્થા માટે એક પાણીનો ટાંકો બનાવવામાં આવેલો છે. જે દિવસના બે વખત આમ જનતાને પાણીનો પૂરવઠો પૂરો પાડવામાં આવે છે સવારે ત્રણ કલાક સાંજે ત્રણ કલાક આમ એ સમય દરમિયાન દિવસના છ કલાક રોડ ઉપર ગટરમાં પીવાનુ ફિલ્ટર કરેલું પાણી વહી જાય છે. જે સંચાલય ના પાણીના ટાંકા નો કોઈ ઉપયોગ જ થતો નથી.
સરકાર પર્યાવરણ અને પાણીને બચાવવા માટેના કરોડો રૂપિયા અને માતબર સમય નો ખર્ચ કરે છે. જ્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ના જવાબદાર કર્મચારી આ બાબતે પાણી રોકવા ના પગલા ક્યારે લેશે તે એક સવાલ છે. જ્યાં સુધી પાણી બંધ નહીં થાય ત્યાં સુધી પાણી ના વ્યયરોકવા માટે આ અહેવાલ ચાલુ રહેશે.
રિપોર્ટર : જીતેન્દ્ર માવાણી, કતારગામ (સુરત)