તેરવાડા પાસે બાઇક અને ગાડી વચ્ચે અકસ્માત મંદિર ના સેવક નું મોત

હિન્દ ન્યૂઝ, દિયોદર

   દિયોદર તાલુકા ના તેરવાડા ગામ પાસે આજે બાઇક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર મંદિર ના સેવક નું મોત નીપજ્યું હતું. જેમાં અન્ય બે લોકો ઇજા ગ્રસ્ત થયા હતા.

            જાણવા મળતી માહિતી મુજબ દિયોદર બાણ માતાજી ના મંદિર માં સેવક તરીકે સેવા આપતા મૂળ કુવાળા ગામ ના વતની રાયમલભાઈ મશરૂભાઈ દેસાઈ આજે પોતાનું બાઇક લઈ તેરવાડા ગામ પાસે પસાર થઈ રહ્યા હતા. તે સમય ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક પર સવાર રાયમલભાઈ દેસાઈ નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેમાં ગાડી માં સવાર અન્ય બે લોકો ને ઇજા ગ્રસ્ત થતા તત્કાલિત ધોરણે સારવાર અર્થ દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ ની જાણ મૃતક ના પરિવારજનો ને થતા પરિવારજનો ના ટોળા પણ દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.  જે અંગે પોલીસે અકસ્માત નો ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment