દિયોદર ના સણાદર ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ માં જય અંબે ઇલેવન ફાઇનલ માં જીત થઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર

           દિયોદર રાવણા રાજપૂત સમાજ દ્વારા મીની અંબાજી ધામ ગણાતા સણાદર મંદિર ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું હતું. જેમાં કુલ ૨૪ ટીમો એ આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભાગ લીધો હતો. જેમાં આજે એ બી ઇલેવન દિયોદર સામે જય અંબે ઇલેવન સણાદર વચ્ચે ફાઇનલ મુકાબલો યોજાયો હતો.

જેમાં જય અંબે ઇલેવન સણાદર ટીમ વિજેતા બની હતી જેમાં ટીમ ના કેપટન કનુભાઈ સોઢા ને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. જો કે સેમિફાઇનલ ટીમ ને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. આ ટુર્નામેન્ટ ના આયોજક કનુભાઈ સોઢા, અલ્પેશભાઈ સોઢા, અરવિંદભાઈભાઈ સોઢા, દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, સણાદર મંદિર ના મહંત શ્રી અંકુશગિરી બાપુ, રાવણા રાજપૂત સમાજ ના આગેવાન ડો સોનાજી ચૌહાણ, પૂર્વ સરપંચ કનુભાઈ પઢીયાર, અમરતભાઈ ભાટી, રમેશભાઈ રાઠોડ, ડુંગરજી પરમાર વગેરે હાજર રહ્યા હતા અને ટુર્નામેન્ટ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment