કોડીનાર માં મુસ્લિમ સગીરા પર બલાત્કાર મામલે મુસ્લિમ એકતા મંચ લાલ ધુમ શહેરમાંથી આવેદનપત્રો આપી આક્રોશ ભરી રજુઆત કરી

હિન્દ ન્યૂઝ, કોડીનાર,

કોડીનાર માં મુસ્લિમ સગીરા પર બલાત્કાર ના મામલે કાજ ગામ ના ખેતર માં મંજુરી કામ કરતી ૧૪ વર્ષ ની સગીરા પર બલાત્કાર મામલે પ્રવીણસિંહ ઝાલા સામે પીડીત ના દાદીએ પોલીસ ફરિયાદ નોંધાવતા સમસ્ત સમાજમાં લાગણી વરસાવી રહયા છે. જ્યારે નિડર અને પ્રમાણીકતા ની છાપ ધરાવતા અને લધુમતી સમાજ ના પક્ષો અને સમસ્યાઓ માટે તન મન અને ધનથી સહયોગી થવા તેમજ અન્યાય સામે ન્યાય ની માંગણી કરતા ગુજરાત મુસ્લિમ એકતા મંચ ના હોદેદારો સદસ્યો ઓ દ્વારા કોડીનાર ખાતે આવેદનપત્ર આપી દોષિતો સામે કડક કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરી છે. આ ધટના બનતા અન્ય શહેરોમાં થી સમસ્ત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે. જ્યારે મુસ્લિમ એકતા મંચ ના ગુજરાત ના અધ્યક્ષ ઈમ્તિયાઝ ખાન પઠાણ તેમજ મુસ્લિમ એકતા મંચ ના ગુજરાત ના તમામ હોદ્દેદારો ન્યાય પુર્ણ તપાસ ની માંગ કરી છે અને આ સગીરા ની ઝડપ થી તપાસ કરી ન્યાય મળવો જોઇએ અન્યથા મુસ્લિમ એકતા મંચ આગળની કાર્યવાહી હાથ ધરસે.

રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ

Related posts

Leave a Comment