હિન્દ ન્યૂઝ, રાજકોટ,
તા.૨૧/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અનુસાર તમામ કેબિન હોલ્ડર્સને દિન-૩માં આ પ્રકારની કેબિનો દુર કરવા નોટીસ પાઠવવામાં આવી છે. ૩ દિવસમાં કેબિન હોલ્ડર્સ દ્વારા કેબિનો જાતે દુર નહી કરવામાં આવે તો મહાનગરપાલિકા દ્વારા તેઓના ખર્ચે અને જોખમે કેબિનો દુર કરવામાં આવશે. રાજકોટ શહેરના જાહેર રોડ તથા અન્ય જાહેર સ્થળોએ આવેલ ગેરકાયદેસર STD-PCO કેબિનો ટ્રાફિકને નડતરૂપ થતી હોય તેમજ કેટલાક સ્થળોએ ન્યુસન્સ થતુ હોય, આવી ૨૧ જેટલી ગેરકાયદેસર કેબિનો દુર કરવા કમિશનર દ્વારા આદેશ આપવામાં આવેલ છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ