ઉનાળુ મગફળીના પાકમાં સંકલિત રોગ-જીવાતના અસરકારક નિયંત્રણ માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  ➡️ મોલો જેવી જીવાતોના નિયંત્રણમાં પરભક્ષી કીટકો – દાળીયા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેથી જો દાળીયાની વસ્તી વધારે હોય તો રાસાયણિક દવાનો ઉપયોગ ટાળવો ➡️ લશ્કરી ઈયળના નિયંત્રણ માટે શરૂઆતથી જ હેક્ટરે પાંચ મુજબ ફેરોમોન ટ્રેપ લગાવવી ➡️ જીવાત ક્ષમ્ય માત્રાએ પહોંચે કે તરત જ નિયંત્રણ માટે લીંબોળીના મીજનું 5 ટકા દ્રાવણનો છંટકાવ કરવો ➡️ મગફળીમાં પાનના ટપકાંના રોગના નિયંત્રણ માટે ઉગાવાના 30, 50 અને 70 દિવસે લીમડાના તાજા પાનના રસનું 1 ટકા દ્રાવણ છંટકાવ કરવું ➡️ દવાઓના વપરાશ સમયે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે-તે…

Read More

ગણદેવી શુગર મિલમાં ઇથેનોલ લીકેજ બાદ સર્જાયેલી આગની સ્થિતિ કાબુમાં આવતા રાહતનો દમ: ૬ અસરગ્રસ્તોને રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડાયા

હિન્દ ન્યુઝ, નવસારી      નવસારી જિલ્લાના ગણદેવી ખાતે કાર્યરત શુગર મિલમાં સંભવિત ઔદ્યોગિક દુર્ઘટનાઓ સામે વહીવટી તંત્ર અને વિવિધ સુરક્ષા એજન્સીઓની સજ્જતા ચકાસવા માટે એક મેગા ‘ઓફસાઇટ ઇમરજન્સી મોક ડ્રિલ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયત મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા ક્રાઇસિસ ગ્રુપ તથા ગણદેવી શુગર મિલના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી. જેમાં જિલ્લાના તમામ મહત્વના વિભાગોએ સંકલિત રહીને કામગીરી બજાવી હતી. મોક ડ્રિલના આયોજન મુજબ, મિલના પરિસરમાં ઇથેનોલ ભરેલા ટેન્કરમાં લીકેજ થવાને કારણે અચાનક આગ લાગવાની ઘટના સર્જાતા અફડાતફડી મચી હતી. પ્રાથમિક…

Read More

નવી સિવિલ હોસ્પિટલને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાજયની બેસ્ટ સરકારી હોસ્પિટલ તરીકે ગુજરાત હેલ્થકેર એકસલન્સ એવોર્ડ-૨૦૨૬” એનાયત

હિન્દ ન્યુઝ, અમદાવાદ  અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાજયની બેસ્ટ સરકારી હોસ્પિટલ તરીકે ગાંધીનગર ધ લીલ્હા ખાતે આયોજીત કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે ”ગુજરાત હેલ્થકેર એકસલન્સ એવોર્ડ-૨૦૨૬” એનાયત કરવામાં આવ્યો હતો.             અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજ્યમાં સ્વાસ્થ્ય સુધારવા માટે શ્રેષ્ઠ યોગદાન આપનારા વ્યક્તિ અને સંગઠનોને એવોર્ડ આપવામાં આવે છે. જેના ભાગરૂપે ૨૦૨૬ના વર્ષ માટે અમદાવાદની કેન્સર હોસ્પિટલ, યુ.એન.મહેતા હોસ્પિટલ અને સુરતની નવી સિવિલ હોસ્પિટલને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતા. ડો.દિક્ષિતના નેજા હેઠળની કમિટીએ રાજયની હોસ્પિટલોમાં…

Read More

ગણદેવી તાલુકાના આઠ ગામો માટે ભૂગર્ભ જળ રિચાર્જિંગના પ્રોજેક્ટનું કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, નવસારી      ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા અને જમીનમાં વધતી જતી ખારાશને રોકવા માટે ‘જળ સંચય અને જન ભાગીદારી અભિયાન’ હેઠળ એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રવિવાર, ૨૯ માર્ચ ૨૦૨૬ના રોજ મોહનપુર ખાતે કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયના મંત્રી સી.આર. પાટીલના વરદ હસ્તે જળ સંચયને લગતા વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ગણદેવી તાલુકાના મોહનપુર અને અંચેલી ગામોના તળાવોને પાઈપલાઈન દ્વારા ઈન્ટરલિંક કરી, ત્યાં ૩ રિચાર્જ પીટ (RP) અને ૪ પરમીએબલ રીએક્ટિવ બેરિયર કમ રિચાર્જ પીટ (PRB…

Read More

ઉત્તરપ્રદેશના ગોરખપુરના બ્રેઈનડેડ રાજેન્દ્ર ગુપ્તાના અંગદાનથી ત્રણ મળશે નવજીવન

હિન્દ ન્યુઝ, સુરત     ઓર્ગન ડોનર સિટી તરીકે ઓળખ ધરાવતા સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સતત ત્રીજા દિવસે ત્રીજુ અને કુલ ૯૪મુ સફળ અંગદાન થયું હતું. મુળ ઉત્તર પ્રદેશના જોત બગહી પોસ્ટ ભવાપોર સેમારકોલ ગોરખપુરના રહેવાસી ૩૩ વર્ષીય બ્રેઈનડેડ રાજેન્દ્ર હિરાલાલ ગુપ્તાના પરિવારજનોએ માનવતાવાદી અભિગમ સાથે સ્વજનના અંગદાનનો નિર્ણય લઈને લીવર અને બે કિડનીનું દાન કરતા ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન મળશે.    પ્રાપ્ત વિગતો અનુસાર પલસાણા ખાતે તા:૨૫/૩/૨૦૨૬ બપોરે ૦૨ ;૦૦ PM વાગ્યે કામ પરથી ઘરે આવ્યા અને બાજુની બિલ્ડીગમાં ૩ માળેથી નિચે પડી ગયા હતાં તત્કાલ નવસારી સિવિલ હોસ્પીટલમાં…

Read More

વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતને ઐતિહાસિક સફળતા -કચ્છમાં એક દાયકા બાદ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ’ ઘોરાડના બચ્ચાનો જન્મ -આગમન :વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા

હિન્દ ન્યુઝ, કચ્છ      ગુજરાત અને રાજસ્થાનના વન વિભાગ, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (WII)ના સંયુક્ત પ્રયાસોથી વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક અભૂતપૂર્વ સફળતા મળી છે. કચ્છના અબડાસા વિસ્તારમાં એક દાયકાના લાંબા અંતરાલ બાદ ‘ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ’ -ઘોરાડના બચ્ચાનો જન્મ થયો છે તે આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું. વન મંત્રી મોઢવાડિયાએ વધુ વિગતો આપતાં કહ્યું કે,ગુજરાત વન વિભાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાસલ કરી…

Read More

કચ્છના આંગણે દશક બાદ ગુંજ્યો ‘ઘોરાડ’નો કિલકિલાટ: અબડાસામાં ‘ઓપરેશન એગ ટ્રાન્સફર’ દ્વારા ઐતિહાસિક સફળતા

હિન્દ ન્યુઝ, કચ્છ     કચ્છના વન્યજીવ સંરક્ષણ ઇતિહાસમાં આજે એક સુવર્ણ પ્રકરણ લખાયું છે. અબડાસાના ઘાસિયા મેદાનોમાં લગભગ એક દાયકાના લાંબા અંતરાલ બાદ અત્યંત દુર્લભ એવા ‘ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ’ (ઘોરાડ) ના બચ્ચાનો જન્મ થયો છે. વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ આ સફળતાને ‘જમ્પસ્ટાર્ટ એપ્રોચ’ (Jumpstart Approach) અને આધુનિક સંરક્ષણ પદ્ધતિનું પરિણામ ગણાવ્યું છે. ઓપરેશન એગ ટ્રાન્સફર: ૧૯ કલાકની રોડ મુસાફરી અને સફળ સેવન    કચ્છમાં નર ઘોરાડની ગેરહાજરીને કારણે માદા ઘોરાડ ઈંડા તો મૂકતી હતી, પરંતુ તે અફલિત (Infertile) રહેતા હતા. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે ગુજરાત…

Read More

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ…

હિન્દ ન્યુઝ, સુરત    સુરતના ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિ.મી. લાંબા વાયડક્ટનું કામ સફળતાપૂર્વક પૂર્ણ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર નિર્ધારિત રૂટ પર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન આજથી શરૂ; આ રૂટ પર આવતા કુલ 7 સ્ટેશન બિલ્ડિંગનું સ્ટ્રક્ચરનું કામ પણ પૂર્ણ સુરત મેટ્રોની આ પ્રગતિથી શહેરની ટ્રાફિક સમસ્યામાં ઘટાડો થશે તેમજ શહેરીજનોને ઝડપી, સુરક્ષિત અને પ્રદૂષણમુક્ત પરિવહનની સુવિધા પ્રાપ્ત થશે.

Read More

જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને LPG/PNG, પેટ્રોલ-ડિઝલ તેમજ આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની સમીક્ષા કરાઈ

હિન્દ ન્યુઝ, કચ્છ      આજરોજ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને LPG/PNG, MS/HSD (પેટ્રોલ-ડિઝલ) તેમજ આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની સમીક્ષા કરવા જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઈ હતી. હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાને રાખી જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સુચારુ અને સતત જળવાઈ રહે તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના તમામ રિટેલ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવી જિલ્લા કલેકટર આનંદ પટેલએ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પેટ્રોલ અને ડિઝલની અછત અંગે કોઈપણ પ્રકારની અફવા ન ફેલાય તે માટે પેટ્રોલિયમ કંપનીઓને પોતાના સ્ટાફને યોગ્ય…

Read More

કેન્દ્રીય મંત્રી l રામમોહન નાયડુ કિન્જરાપુ દ્વારા રાજકોટ ખાતેથી દેશભરના એરપોર્ટ પર વિવિધ જનસુવિધાઓનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, રાજકોટ   મંત્રીએ એરપોર્ટ ખાતે ‘ઉડાન યાત્રી કેફે’નું ઉદ્ઘાટન કર્યું ગાંઠિયા અને ગુલાબજાંબુની મજા માણી  કેફેમાં મુસાફરોને માત્ર રૂ. ૧૦માં ચા અને રૂ. ૨૦માં સમોસા-કચોરી મળી રહેશે  કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુ કિન્જરાપુ : ભારતમાં સિવિલ એવિએશનનો સ્વભાવ અને સ્વરૂપ છેલ્લા ૧૨ વર્ષમાં સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. વર્ષ ૨૦૧૪માં આપણા દેશમાં માત્ર ૭૪ એરપોર્ટ હતા, જે આજે વધીને ૧૬૫થી પણ વધુ થઈ ગયા છે.  

Read More