રાધનપુર હિન્દૂ યુવા સંગઠન દ્વારા લવ જેહાદ થયેલ અંગેનું રાધનપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, રાધનપુર,

રાધનપુર તાલુકા ના સરકારપુરા ગામે ૧૬ જુલાઈ ના રોજ લવ જેહાદ ઘટના બની ગયેલ હતી. જે રાધનપુર નાગોરીવાસ વિસ્તારમાં રહેતા દીવાન ઇરફાન ઇસ્માઇલ એ રાધનપુર ના સરકારપુરા ગામની હિન્દૂ સાધુ સમાજ ની દીકરી ધરતીબેન દિનેશ ભાઈ સાધુ ની દીકરી ભગાડી લઇ જઈને લવ જેહાદ ભોગ બનાવીને દીકરીને ફસાવીને ભગાડી જતા સમગ્ર સાધુ સમાજ હિન્દૂ યુવા સંગઠન રોષે ભરાયેલ ઉગ્ર બનેલ. આ લવ જેહાદ ની ઘટનાને ત્રણ મહિના જેવો ટાઈમ વીતી ગયો. છતાં પોલીસ કે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયેલ નથી. જો હિન્દૂ દીકરી ને પરત નહિ લવાય તો સાધુ હિન્દૂ યુવા સંગઠન સમાજ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. જો સાત દિવસ મા લવ જેહાદ મા ભોગ બનેલી દીકરી ને વેહલા માં વેહલી પરત લાવવામાં ન આવે તો રાધનપુર શાંતિ ભર્યું વાતાવરણ બગડશે. જેની સંપૂર્ણ જવાબદારી તંત્ર ની રહેશે.

રિપોર્ટર : બાબુભાઈ પરમાર, રાધનપુર

Related posts

Leave a Comment