સુરતમાં રેલવે સ્ટેશન ,બસ સ્ટેશનથી 128 કોરોના પોઝીટીવ મુસાફરો મળ્યા

હિન્દ ન્યૂઝ, સુરત

સુરત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર 128 મુસાફરો પોઝીટીવ મળ્યા છે, મુસાફરોની સંખ્યામાં વધારો થતાં પાલિકાએ રેપીડ ટેસ્ટીગ પ્રક્રિયામાં વધારો કર્યો અને પાછલા બે સપ્તાહમાં 1.87 લાખ રેપીડ ટેસ્ટ કરાયા,

જે પૈકી અંદાજે 1.4 થી 1.7 ટકા લોકો કોરોના પોઝીટીવ નીકળ્યા હતા. સામે આવેલા 128 કોરોના પોઝીટીવમાંથી 103 મુસાફરો ગુજરાતના અન્ય જીલ્લાઓ માંથી આવ્યા હતા, સૌરાષ્ટ્રના મુસાફરોમાં કોરોનાનો ચેપ વધારે જોવા મળ્યો હોવાનુ આ તારણોમાંથી સામે આવી રહ્યું છે.

જો કે, સામે આવેલા 128 કોરોના પોઝીટીવમાંથી બે સપ્તાહમાં બિહારના 2 , ઝારખંડના 1, મહારાષ્ટ્રનાં 8, રાજસ્થાનનાં 2, ઉત્તર પ્રદેશના 12 મુસાફરો પોઝીટીવ આવતા તેમને પણ કોરેન્ટાઇન કરવામાં આવેલ છે.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment