મોરબી ખાતે માલધારી યુવા એ મૂંગા પ્રાણી નો બચાવ્યો જીવ

હિન્દ ન્યુઝ, મોરબી,

વટામણ ચોકડી હાઇવે પર એક ગાય ને કોઈ અજાણ્યા ટ્રક વાળા એ ઠોકર મારતાં ગાય ને ઈજા થઈ, જેની જાણ માલધારી યુવા સંગઠન (મોરબી) ના સભ્ય ભરતભાઈ મીર, ભરવાડ (રામપુર ધોળકા) અને તેના સાથી મિત્રો ને જાણ થતાં તરત જ ઘટના સ્થળે દોડી જતા ગુજરાત સરકાર દ્વારા પશુ એમ્બ્યુલન્સ ને બોલાવી ઘાયલ ગૌમાતા ને સારવાર અપાવી માનવતાનું કાર્ય કર્યું. તેમજ માલધારી સમાજના તેમજ તેઓના મિત્ર મંડળે ભરતભાઈ મીર ને આ પુણ્ય નું કામ કર્યું હોવાથી શુભેચ્છાઓ પાઠવી હતી.

રિપોટૅર : વિનોદ બાંભવા, મોરબી

Related posts

Leave a Comment