હિન્દ ન્યુઝ, જોડિયા
જામનગર જિલ્લાના હડિયાણા ગામે જોડિયા તાલુકા ભાજપના મહામંત્રી જયસુખ ભાઈ પરમાર અને સક્રિય કાર્યકર્તા રમેશભાઈ નંદાસણા, કિશોરભાઇ પરમાર, કાંતિભાઈ કગથરા અને હડિયાણા બુથ પ્રમુખ દ્વારા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયું જોડીયામાં ઉજવતા હડિયાણા ગામે ભાજપ દ્વારા વૃક્ષારોપણનું સુંદર આયોજન કરેલ અને વૃક્ષ નુ રોપણ કરી ઉછેર કરવાની જવાબદારી લેવામાં આવી ઘરે ઘરે અને વાડીએ એક એક વૃક્ષ વાવવાનો સંકલ્પ લીધેલ છે.
રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા