મોરબી તાલુકાના શિવનગર (પંચાસર) ગામે વાડીમાં આવેલા કૂવામાં અકસ્માતે પડી જતા આદિવાસી યુવાનનું મોત

હિન્દ ન્યુઝ, મોરબી,

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શિવનગર (પંચાસર) ગામે દિલીપભાઈ પટેલની વાડીએ રહીને મજૂરીકામ કરતાં અને મુળ મધ્યપ્રદેશના સુરપાલ ભુરજીભાઈ ભીલ આદિવાસી નામનો ૩૩ વર્ષનો યુવાન વાડીમાં આવેલા કૂવામાંથી પાણી ખેંચી રહ્યો હતો ત્યારે સુરપાલ અકસ્માતે કુવામાં પડી ગયો હતો. જેથી ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું છે. બનાવની જાણ થતાં તાલુકા પોલીસે પહોંચીને મૃતદેહ બહાર કાઢ્યો હતો અને પીએમ માટે મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યુ. બનાવ અંગે આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ મથકના કે.એ.ચૌહાણ ચલાવી રહ્યા છે.

રિપોર્ટર : ભરત વિંધાણી, મોરબી

Related posts

Leave a Comment