આમ આદમી પાર્ટી દ્વારા સંગઠન વિસ્તાર હેતુસર મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું

દેવગઢ બારીયા,

તા- 13/09/2020, રવિવાર ના દેવગઢ બારીયા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા સંગઠન વિસ્તાર હેતુસર મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય અતિથિ ગુજરાતી ફિલ્મ જગત ના પ્રખ્યાત અભિનેત્રી અને “આપ”પ્રદેશ પ્રવક્તા કિરણબેન આચાર્ય તેમજ “આપ”મધ્યગુજરાત સંગઠન મંત્રી પ્રો.અર્જુનભાઇ રાઠવા ઉપસ્થિત રહ્યા. ઉપરાંત “આપ”દાહોદ જિલ્લા અને મહીસાગર જિલ્લા પ્રભારી ભાનુપ્રસાદ પરમાર, “આપ”દાહોદ જિલ્લા પ્રમુખ રાજેશભાઇ ભુરિયા અને “આપ”દાહોદ જિલ્લા મહામંત્રી હાર્દિકકુમાર સોલંકી ની હાજરીમાં દેવગઢ બારીયા શહેર અને તાલુકા ના ભાજપા ના પાયાના કાર્યકર અશોકભાઈ રાણા (સમ્રાટ) એમના લગભગ 50 જેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપની ભ્રષ્ટ નીતિ થી ત્રાસીને આમ આદમી પાર્ટી માં સામેલ થયા તેમજ પાર્ટીમાં હોદ્દો સ્વીકારી પાર્ટી ના વિકાસ ની કામગીરી સ્વીકારી જે આ પ્રમાણે છે.

નવનિયુક્ત દેવગઢ બારીયા તાલુકા હોદ્દેદારોની યાદી.

દેવગઢ બારીયા શહેર સંગઠન:
1-પ્રમુખ-અશોકકુમાર રાણા(સમ્રાટ).
2-ઉપપ્રમુખ- બાઝી ફખરિભાઈ.
3- મંત્રી- ગાંધી અરવિંદભાઈ.
4-સહ મંત્રી- ગાંધી રસિકભાઈ.
5-ખજાનચી-પીપલોદીયા પ્રવીણભાઈ.

દેવગઢ બારીયા શહેર યુવા સંગઠન.
1,પ્રમુખ- બારીયા મહેશભાઈ.
2,મંત્રી- થાવરદાસની ચંદ્રકાન્ત.
3, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ- તારાની હિમાંશુકુમાર.

દેવગઢ બારીયા તાલુકા.
1,પ્રમુખ-નાયક દિલીપભાઈ.
2,ઉપપ્રમુખ- લુહાર સંજયભાઈ.
3,ઉપપ્રમુખ- સુથાર અક્ષયભાઈ.

રિપોર્ટર : ફેઝાન મફત, દેવગઢ બારીયા

Related posts

Leave a Comment