મોરબી ખાતે આગામી બોર્ડ ની મીટીંગ માં ઠરાવ પસાર કરવાની મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખની માંગ

મોરબી,

મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ મોરબી પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરીને આહીર વીર પુરુષ ભોજાબાપા મકવાણાની વીર અને શોર્ય ગાથાને જીવંત રાખવા માટે તેમની પ્રતિમા રેલ્વે સ્ટેશન ચોકમાં આવેલ છે અને આ વીરની શોર્ય ગાથા ક્ષત્રીય સમાજ અને આહિર સમાજ વચ્ચે વિશ્વસનીયતા અને વફાદારીનું ઉત્તમ ઉદાહરણ છે અને સર્વે સમાજ આજે પણ આ પ્રસંગને સાંભળીને ગર્વ ની લાગણી અનુભવે છે. ત્યારે મોટા દહિંસરા ગામના વીર પુરૂષ ભોજાબાપા મકવાણાના નામ પરથી આ માર્ગનું નામકરણ થાય તે માટે શ્રી રાજપૂત કરની સેના મોરબીએ માંગણી કરેલ છે. જેથી આગામી બોર્ડ ની મીટીંગ માં ઠરાવ પસાર કરવાની મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખે માંગ કરી છે.

રિપોર્ટર : ભરત વિંધાણી, મોરબી

Related posts

Leave a Comment