અગાઉ સેના, સુરક્ષા દળો પર હુમલો કરનાર હિજબુલના 2 આતંકવાદી માર્યા ગયા

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોએ હિજબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીને ઠાર કર્યા છે. આ અથડામણ સોમવારે રાત્રે શરૂ થઈ હતી, જે મંગળવાર સુધી ચાલી હતી. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ ફરહાન-નૈરા અને ઈરફાન રાથન તરીકે કરવામાં આવી છે. તે નૈરા રિયાઝનો સહયોગી હતો. તે વર્ષ 2016થી કાશ્મીરમાં સક્રિય હતો. સેનાએ તેને “એ” શ્રેણીમાં આતંકવાદી જાહેર કર્યો હતો. રાથર 2017થી આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો. બન્ને આતંકવાદી સુરક્ષા દળો પર હુમલો કરવા સંડોવાયેલા હતા.

Source: Divya Bhaskar (For Testing Purpose)

Related posts

Leave a Comment