એસ.એસ.બી ના જવાન ફરજ ઉપર અચાનક બીમાર થતા શહીદ , અંતિમ સંસ્કાર માં લોકો હજારો સંખ્યા માં ઉમટ્યા, જવાનો ની હાજરી માં અંતિમ સંસ્કાર કરાયા

રાધનપુર,

એસ.એસ.બી થ્રિ આરડી લખીમપુર યુપી માં ફરજ બજાવતા કમાન્ડર રાધનપુર તાલુકા ના દેવ ગામ ના રામશીભાઈ ભીખાભાઇ ચૌધરી એસ.એસ.બી માં ભારત ભુસણ સીમા પર ફરજ બજાવતા હતા. તે ફરજ દરમિયાન અચાનક બીમાર પડતા શાહિદ થયા હતા. આ બનાવ ની જાણ ચો તરફ થતા શોક ની લાગણી લાકો માં પ્રસરી હતી આ જવાને 21 વર્ષ સુધી નિષ્ઠા પૂર્વક દેશ ની સેવા કરી છે. અને ભારત દેશ ના ભૂટાન સીમા પર સેવા આપતા હતા. તેઓ અચાનક બીમારી નો ભોગ બનતા શહીદ થયા હતા ત્યારે શહીદ જવાન ને પોતાના વતન માં તેમની બટાલિયાન દ્વ્રારા લઈ આવવા માં આવ્યા હતા અને ચો તરફ આ બાબત ની ખબર પડતાં લોકો મોટી સંખ્યામાં અંતિમયાત્રા માં જોડાયા હતા. શહીદ જવાન ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. દેશ નો જવાન શહીદ થતા અહીં ના દરેક સમાજ માં શોક ની લાગણી જોવા મળી હતી.

રિપોર્ટર : બાબુભાઇ પરમાર, રાધનપુર

Related posts

Leave a Comment