ગુજરાત એસ.ટી.ની જનસેવા પ્રતિબદ્ધતાનું વધુ એક નવું સીમાચિહ્ન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી રાજ્યના તમામ 182 વિધાનસભા વિસ્તાર માટે કુલ 182 નવીન બસોનું લોકાર્પણ કર્યું; આ અવસરે નવીન બસોના ડ્રાઈવર્સને પ્રતીકરૂપે ચાવી અર્પણ કરાઈ.

ગુજરાત એસ.ટી. દરરોજ 8 હજારથી વધુ બસના કાફલા સાથે 33 લાખ કિમીના સંચાલનથી અંદાજે 27 લાખથી વધુ મુસાફરોને સ્વચ્છ-સલામત અને સમયબદ્ધ પરિવહન સેવા પૂરી પાડે છે; રાજય સરકાર દ્વારા દર વર્ષે નવી એસ.ટી બસ ખરીદવા માટે એસ.ટી નિગમને નાણાકીય સહાય અપાય છે.

Related posts

Leave a Comment