માલવીયાનગર પોલીસે ખોડીયારનગર અને નવલનગરમાં ચાલતા જુગારના અખાડા પર દરોડા પાડતા ૧૭ પત્તાપ્રેમી ઝડપાયા હતા

રાજકોટ,

તા.૨૦.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ મથકના P.I કે.એન.ભુકંણના માર્ગદર્શન હેઠળ P.S.I વી.કે.ઝાલા, હેડ.કોન્સ્ટેબલ ભાવિન ગઢવી, દિગ્પાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ મસરીભાઈ ભેટારીયા, મહિલા કોન્સ્ટેબલ મેઘનાબેન ગોહિલ વગેરે પેટ્રોલીંગમાં હતા. ત્યારે કોન્સ્ટેબલ ભાવેશભાઈ ગઢવી અને રોહિતભાઈ કછોટની બાતમીના આધારે નવલનગર શેરીનં.૩-૯ના ખૂણે આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં પોતાના ઘરમાં જુગાર રમાડતા જયશ્રીબેન મહેશભાઈ રાઠોડ તેની સાથે તીનપત્તીનો જુગાર રમતાં હિરેશ મહેશભાઈ રાઠોડ, રવિ જનકભાઈ રાઠોડ, રાહુલ મહેશભાઈ રાઠોડ, ઇલાબેન રાજેશભાઈ માલાણી, પૂનમબેન આલોકભાઈ મકવાણા, રાજેશ્વરીબેન મયુરભાઈ સોની, સોનલબા દિલીપસિંહ જાડેજા, રીધ્ધીબેન અરવિંદભાઈ પઢીયારને પકડી લઇ રૂા.૧૫,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

ખોડીયારનગર શેરી નં.૧૦ના રહેણાંક મકાનમાં રેડ કરાઈ હતી. જ્યાં પોતાના મકાનમાં બહારથી લોકોને બોલાવી જુગાર રમતા હિતેષ ઉર્ફે હિતો સંગ્રામભાઈ મીર, પ્રવિણ બચુભાઈ વાઘેલા, રમેશ જશાભાઈ પરમાર, વિજયપરી હેમંતપરી ગોસ્વામી, જયશ્રીબેન જયેશભાઈ વાડોદરા, જસુબેન ધીરુભાઈ બહોકીયા, બેનાબેન હરુભા જાડેજા, ભૂમિકાબેન રમેશભાઈ રાઠોડને ઝડપી લઇ ૧૨,૨૮૦ની રોકડ કબ્જે કરી હતી. તમામ સામે ધારાધોરણ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment