૧૫-મી ઓગસ્ટના દિવશે અંબાજીમા સફાઈ અભિયાન નું આયોજન કરવામાં આવ્યું

 

અંબાજી,

૧૫-ઓગસ્ટ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા છેલ્લા ૪ વર્ષ થી યાત્રા ધામ અંબાજી મા ચાલતી ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડ એજન્સી દ્વારા છેલ્લા ચાર વર્ષ થી યાત્રાધામ અંબાજી મા અને મંદિર મા વગેરે જગ્યાએ સફાઈ કામ કરવામાં આવે છે. સર્વિસ ગ્લોબલ ના કાયદા મા આવતી દરેક જગ્યાએ તો સફાઈ થાય જ છે પણ ઘણી બધી જગ્યા એવી છે કે ઓલ સર્વિસ ગ્લોબલ ના કાયદા મા આવતી નથી તેવી જગ્યાએ પણ આ ઓલ સર્વિસ ગ્લોબલ ની ટીમ દ્વારા સફાઈ કરવામાં આવે છે. અને આજે ૧૫-મી ઓગસ્ટ ના સ્વતંત્રતા દિવસે પણ ઓલ સર્વિસ ગ્લોબલ ની ટીમ દ્વારા અંબાજી ના પોલીસ સ્ટેશન ના કંપાઉન્ડમાં પણ સફાઈ કામગીરી કરવામાં આવી હતી અને આખા કંપાઉન્ડ ને સ્વરછ બનાવી દીધુ હતુ. આની સાથે જ ઓલ સર્વિસ ગ્લોબલ ના મેનેજર અલ્પેશ ભાઈ ગોહીલ એ જણાવ્યું હતું કે કોરોના વાયરસ ની મહામારી મા પોલીસ કર્મીઓ એ દિવસ રાત એક કરીને પોતાના જીવની ચીંતા કર્યા વગર જે સુંદર કામગીરી કરી છે. તે જ રીતે અમે ઓલ સર્વિસ ગ્લોબલ ટીમ દ્વારા આખા અંબાજી ને થોડાક જ સમય મા સ્વરછ અંબાજી બનાવીશું.

રિપોર્ટર : બિપિન સોલંકી, અંબાજી

Related posts

Leave a Comment