છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર ધારક પંડ્યાને મુખ્યુમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સન્માનિત કરાયા

છોટાઉદેપુર,

પ્રાપ્ત વિગત અનુસાર છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં કોરોના દર્દી માટે ફિજીશિયન ડોકટર ધારક પંડ્યા ફરજ બજાવી રહ્યા છે. આજરોજ ગાંધીનગર ખાતે “૭૪ મા સ્વતંત્રતા દિવસ” નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી દ્વારા પ્રસસ્થીપત્ર આપીને ડો.ધારક પંડ્યાને સન્માનીત કરવામાં આવ્યા હતા. વધુમાં જણાવવાનું કે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં કોરોનાના કેસમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી જે ખુબ જ મહત્વની વાત હોય નિષ્ઠા અને ઉમદા કામગીરી કરવા બદલ ડોકટર ધારક પંડ્યાને મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.

રિપોર્ટર : નઈમ હુઈ , છોટાઉદેપુર

Related posts

Leave a Comment