સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં ૫૮૭૪ કયુસેક્સ પાણીનો જથ્થો નદીમાં છોડાયો

હિન્દ ન્યુઝ, આણંદ

    સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં હાલમાં ૫૮૭૪ ક્યુસેક્સ પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલ છે.

જે અર્થે હાલ માં વાસણા બેરેજના કુલ ૩ ગેટ (નં.૨૬,૨૭ અને ૨૮)(૧.૫૦ ફૂટ) તથા ૨૫ નંબરનો ગેટ ૧ ફૂટ ખોલવામાં આવેલ છે. જે અન્વયે પૂરથી સંભંવિત અસરગ્રસ્ત થનાર તમામ ગામોને સલામતીના યોગ્ય પગલાં લેવા જણાવવામાં આવ્યું છે.

આ સૂચિત પાણીના જથ્થા અન્વયે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોને સાવચેત કરવા તથા સલામતીના યોગ્ય પગલા લેવા માટે નાયબ કાર્યપાલક ઈજનેર, પુર નિયંત્રણ કક્ષ, અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment