હિન્દ ન્યુઝ, પોરબંદર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 29 મેથી શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું બારડોલીમાં સમાપન થશે.
મુખ્યમંત્રી અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આ અવસરે રાજ્યના ખેડૂતો માટે પોરબંદરમાં તૈયાર થયેલ બાગાયતી પાકના સેન્ટર ઓફ એક્સેલન્સ, પેટલાદમાં કેળા અને શાકભાજી માટેના સેન્ટર ઓફ એક્સલન્સ તેમજ કચ્છમાં કાર્યરત થયેલ પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ઈ-લોકાર્પણ કરશે.
